આખરે, શા માટે PFI પર મૂકવો પડ્યો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે આપ્યાં આ કારણો

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર પીએફઆઈ (PFI) ઘણા અપરાધિક અને આતંકવાદી મામલામાં સામેલ છે. બહારથી મળતા ફંડ અને સમર્થનથી તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયુ છે.

આખરે, શા માટે PFI પર મૂકવો પડ્યો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે આપ્યાં આ કારણો
Ban on PFI
Follow Us:
| Updated on: Sep 28, 2022 | 11:36 AM

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા સંગઠનો અને તેના નેતાઓને ત્યાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા દરોડા અને ધરપકડ કે અટકાયત બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક મોટો નિર્ણય લેતા આ સંગઠન પર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (Union Home Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં આ સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે ઘણા મોટા કારણો પણ આપવામાં આવ્યા છે, શા માટે તેને પ્રતિબંધિત કરવે પડ્યુ છે જણાવવામાં આવ્યું છે.

PFI ઉપરાંત, 8 સંલગ્ન સંસ્થાઓ રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા છે. ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળને પ્રતિબંધિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પ્રતિબંધનું કારણ સમજાવતા કેન્દ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક ચોક્કસ વર્ગને કટ્ટરપંથી બનાવીને લોકશાહીની વિભાવનાને નબળી પાડવાની દિશામાં કામ કરી રહી છે. આ વલણ બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દર્શાવે છે. આ સંગઠનો દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષાની વિરુદ્ધ છે. તેમની હરકતો સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ બગાડી રહી છે. તેનાથી આતંકવાદી ગતિવિધિઓને પણ વેગ મળી રહ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કેટલાક સ્થાપક સભ્યોનો SIMI સાથે પણ જોડાણ

આટલું જ નહીં, PFIના કેટલાક સ્થાપક સભ્યો પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના નેતા રહી ચૂક્યા છે. આ સિવાય PFI પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સાથે પણ સંકળાયેલું છે. આ સાથે, પીએફઆઈ વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) સહિત ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે પણ સતત સંપર્કમાં છે.

PFI પર પ્રતિબંધ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયો આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર પીએફઆઈ ઘણા અપરાધિક અને આતંકવાદી મામલામાં સામેલ છે. ફંડ અને બહારથી મળતા સમર્થનથી તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. પીએફઆઈ સાથે સંકળાયેલા લોકો પ્રોફેસરના હાથ કાપવા, અન્ય ધર્મના લોકોને નિર્દયતાથી મારવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની ઘણી હિંસક પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.

3 રાજ્યોએ પ્રતિબંધની કરી હતી માંગ

સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશના 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતની સરકારોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સરકારી આદેશમાં પીએફઆઈ સાથે જોડાયેલી સંસ્થાઓ પર પ્રતિબંધ પર તેણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થા અથવા સંલગ્ન સંસ્થાઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ છે. રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન PFI સભ્યો દ્વારા ભંડોળ ઊભું કરે છે, જ્યારે કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન કેરળના કેટલાક સભ્યો PFI સાથે સંકળાયેલા છે અને PFI નેતાઓ અન્ય સંબંધિત સંસ્થાઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">