કોર્ટે વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયા આપવાનો કર્યો હતો આદેશ
કોર્ટે 14 સપ્ટેમ્બર 2018નાં રોજ પેનલ બનાવીને કેરળ સરકારને 50 લાખ રૂપિયા મહેનતાણું ચુકવવાનો આદેશ કર્યો હતો. નાંબી નારાયણનને ઘણાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. પેનલ બનાવ્યા બાદ કોર્ટે ખરી ભૂલ કરવાવાળા અધિકારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કર્યો હતો કે જેને લઈને નારાયણને ઘણું ભોગવવાનો વારો આવ્યો હતો.
અવકાશ કાર્યક્રમ સાથે જોડાયેલા અગત્યનાં ગુપ્ત દસ્તાવેજોનો હતો મામલો
1994માં મીડિયામાં છવાઈ ગયેલા આ જાસુસી મામલામાં આરોપ હતો કે ભારતનાં અવકાશી મિશન સાથે જોડાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજને બે વૈજ્ઞાનિકો અને માલદીવની બે મહિલાઓ સહિત બીજા ચાર લોકો દ્વારા અન્ય દેશોમાં તેને મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં વૈજ્ઞાનિક નારાયણનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે તે સમયે કેરળમાં કોંગ્રેસની સરકાર હતી. ત્રણ સદસ્ય વાળી તપાસ પેનલે સીલબંધ કવરમાં પોતાની રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. બીજી તરફ CBIએ પોતાની તપાસમાં કહ્યું હતું કે 1994માં કેરળ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ નારાયણનની ખોટી ધરપકડ માટે જવાબદાર હતા.
એ બે મહિના અને જેલની અંધારી રાત
નવેમ્બર 1994માં ધરપકડ પછી ડિસેમ્બરમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી
પોલીસની સાથે સીબીઆઈ પણ પુરાવાને શોધી નહી શકી
50 દિવસની જેલ પછી નારાયણનને જાન્યુઆરી 1995માં જામીન મળ્યા
એપ્રિલ 1996માં સીબીઆઈએ માન્યું કે મામલો ખોટો છે અને તેને બંધ કરવામાં આવે
મે 1996માં મેજીસ્ટ્રેટ કોર્ટે મામલાને હટાવીને તમામને છોડી મુક્યા
1996માં માકપા સરકારે મામલામાં બીજીવાર તપાસ કરવાની પહેલ કરી
1998માં સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ મુક્ત કરીને મામલાને જ રદ્દ કરી નાખ્યો