સિક્કામાં નીચે બનાવેલ આ નિશાનનો શું થાય છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે વાસ્તવિક કારણ

દરેક સીકા પર તેના પ્રોડક્શન વર્ષની નીચે 'ડોટ', 'સ્ટાર' કે ડાયમંડ જેવા નિશાન જોવા મળશે. જ્યારે અમુક સિક્કામાં કોઈ નિશાન નહીં હોય. પરંતુ શું તમે જાણો છો આ નિશાનનો મતલબ શું થાય છે?

સિક્કામાં નીચે બનાવેલ આ નિશાનનો શું થાય છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે વાસ્તવિક કારણ
સિક્કા નીચે બનાવેલા નિશાનનો શું મતલબ હોય છે?
Follow Us:
| Updated on: May 26, 2021 | 5:08 PM

ભારત (India) માં છેલ્લા ઘણા દાયકાઓથી આપણે ફક્ત નોટો અને સિક્કાઓની મદદથી નાણાકીય વ્યવહાર કરી રહ્યા છીએ. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી, ‘ડિજિટલ પેમેન્ટ્સ’ દ્વારા ટ્રાન્ઝેક્શન થવાનું શરૂ થયું છે, પરંતુ આજે પણ મોટાભાગના લોકો છે જે ફક્ત કેસ અને રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે.

હાલમાં આપણા દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. આ ઉપરાંત ભારતમાં 1, 2, 5, 10, 20 રૂપિયાના સિક્કા પણ ચલણમાં છે. આપણે દિવસભરમાં ઘણી વખત સિક્કાઓથી વ્યવહાર કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય સિક્કાઓ પરના વિશેષ નિશાનો જોયા છે?

જો તમારી પાસે અત્યાર કોઈ સિક્કો છે તો તેને ધ્યાનથી જુઓ. દરેક સીકા પર તેના પ્રોડક્શન વર્ષની નીચે ‘ડોટ’, ‘સ્ટાર’ કે ડાયમંડ જેવા નિશાન જોવા મળશે. જ્યારે અમુક સિક્કામાં કોઈ નિશાન નહીં હોય. પરંતુ શું તમે જાણો છો આ નિશાનનો મતલબ શું થાય છે?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચાલો તમને આના પાછળનું ચોક્કસ કારણ પણ જણાવીએ

ખરેખર આ જુદા જુદા નિશાન જે કોઈપણ સિક્કા પરના ‘ઉત્પાદન વર્ષ’ની નીચે જોવા મળે છે, તે દર્શાવે છે કે તેઓ દેશના કયા શહેરમાં બનાવવામાં આવ્યા છે. જી હા આ ચિહ્નો ટંકશાળની (Mint) ઓળખ માટે બનાવવામાં આવે છે. ટંકશાળનો અર્થ થાય છે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે તે જગ્યા.

ભારતના આ શહેરમાં બને છે સિક્કા

ભારતમાં માત્ર 4 શહેર એવા છે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે. આ શહેરોમાં કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નોઈડાનો સમાવેશ થાય છે. કોલકાતા ટંકશાળ દેશની સૌથી જૂની મીંટ છે. જેની સ્થાપના 1757માં થઇ હતી. ત્યાર બાદ મુંબઈ ટંકશાળની સ્થાપના 1829 માં થઇ, હૈદરાબાદ ટંકશાળની સ્થાપના 1903 માં થઇ હતી. જ્યારે નોઇડા ટંકશાળની સ્થાપના આઝાદી બાદ 1984 માં થઇ હતી.

સિક્કા કેવી રીતે ઓળખાય છે?

‘કોલકાતા ટંકશાળ’માં બનાવેલા સિક્કાઓ પર કોઈ ચિન્હ હોતું નથી લખેલા નથી. ‘ડાયમંડ’ ‘મુંબઈ ટંકશાળ’ના સિક્કા પર બનાવવામાં આવે છે. આ સિવાય B અથવા M પણ ‘મુંબઈ ટંકશાળ’માં બનેલા સિક્કાઓ લખેલું હોય છે. ‘સ્ટાર’ ચિન્હ ‘હૈદરાબાદ ટંકશાળ’ના સિક્કા પર હોય છે. જ્યારે ‘નોઈડા ટંકશાળ’ના સિક્કાઓમાં ‘ડોટ’ નિશાન હોય છે.

આ પણ વાંચો: આ જગ્યા પર કાદવમાંથી મળે છે સોનુ, અહીંના લોકો રોજ સોનુ વેચીને કમાય છે પૈસા, જાણો રસપ્રદ માહિતી

આ પણ વાંચો: માતાને થયો કોરોના, તો બાળકો ચિઠ્ઠીમાં એવું કંઇક લખ્યું જેને વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">