શું છે આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદી વિવાદ, જેને ઉકેલવામાં 50 વર્ષ લાગ્યા, 5 મુદ્દામાં સમજો આખો મામલો

આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જૂનો સીમા વિવાદ ઉકેલાઈ ગયો છે. આસામ અને મેઘાલયના મુખ્ય પ્રધાનોએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) હાજરીમાં સરહદ વિવાદના ઉકેલ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

શું છે આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદી વિવાદ, જેને ઉકેલવામાં 50 વર્ષ લાગ્યા, 5 મુદ્દામાં સમજો આખો મામલો
The 50-year-old border dispute between Assam and Meghalaya has been resolved.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:55 PM

આસામ (Assam) અને મેઘાલય (Meghalaya) વચ્ચેનો 50 વર્ષ જૂનો સીમા વિવાદ (Assam-Meghalaya Border Dispute) ઉકેલાઈ ગયો છે. આસામ અને મેઘાલયના મુખ્ય પ્રધાનોએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) હાજરીમાં સરહદ વિવાદના ઉકેલ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન આસામ-મેઘાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા. લાંબા સમયથી ચાલતો જમીન વિવાદ 1972માં શરૂ થયો હતો, જ્યારે મેઘાલય આસામમાંથી અલગ થઈ ગયું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, મને ખુશી છે કે આજે 12 વિવાદિત વિસ્તારોમાંથી આસામ અને મેઘાલય વચ્ચે સમજૂતી થઈ છે.

શું છે આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જૂનો સીમા વિવાદ, કેવી રીતે થઈ તેની શરૂઆત? આ પ્રશ્નોના જવાબો જાણો 5 મુદ્દાઓમાં

1. બીબીસીના અહેવાલ મુજબ, વર્ષ 1972માં મેઘાલયને આસામમાંથી અલગ કરીને રાજ્ય બનાવવામાં આવ્યું હતું. બંને રાજ્યો 884.9 કિમી લાંબી સરહદ ધરાવે છે. આ ભાગમાં 12 વિસ્તારોને લગતો વિવાદ શરૂ થયો હતો. આ 12 વિવાદિત વિસ્તારોમાં અપર તારાબારી, ગજાંગ રિઝર્વ ફોરેસ્ટ, હાહિમ, લાંગપીહ, બોરદુર, બોકલપારા, નોંગવા, માતમૂર, ખાનપારા-પિલાંગકાટા, દેશદેમોરિયા બ્લોક I અને બ્લોક II, ખાંડુલી અને રેતાચેરાનો સમાવેશ થાય છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

2. આસામ પુનર્ગઠન અધિનિયમ 1971 હેઠળ મેઘાલય આસામમાંથી અલગ કરવામાં આવ્યું હતું. આ કાયદાને પડકારવામાં આવ્યો અને વિવાદ શરૂ થયો. બંને રાજ્યો વચ્ચેના વિવાદનું સૌથી મોટું કારણ આસામના કામરૂપ જિલ્લાની સરહદે આવેલ લાંગપીહ જિલ્લો છે. લાંગપીહ એક સમયે કામરૂપ જિલ્લાનો એક ભાગ હતો, પરંતુ આઝાદી પછી તે ગારો હિલ્સ અને મેઘાલયનો એક ભાગ બની ગયો. જો કે આસામ તેને તેની મિકિર પહાડીઓનો એક ભાગ માને છે.

3. મેઘાલયના અલગ થયા બાદ સમાન મુદ્દાઓ પર વિવાદ શરૂ થયો હતો. બંને રાજ્યોમાં વિકાસને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આસામમાં રહેતા લોકોની અહીં કોઈ કમી નથી, પરંતુ તેમનું નામ ત્યાંની મતદાર યાદીમાં નથી, પરંતુ મેઘાલયની મતદાર યાદીમાં છે. એટલું જ નહીં બંને રાજ્યોના નકશામાં પણ સુધારો કરવામાં આવ્યો નથી.

4. લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન લંકપીહ સહિત ઘણા વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ પણ ઘટી છે. 2010માં એક મોટી ભયાનક ઘટના બની હતી, જ્યારે 12 વિવાદિત વિસ્તારોમાંના એક લાંગપીહમાં પોલીસ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. આસામ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ સાથે પણ સરહદી વિવાદ ધરાવે છે. આ વિવાદનો અંત લાવવા માટે પહેલ કરવામાં આવી છે.

5. આસામની સરહદે આવેલા રાજ્ય મિઝોરમમાં પણ હિંસાની ઘટનાઓ બની હતી. ગયા વર્ષે 26 જુલાઈના રોજ, આસામ-મિઝોરમ સરહદ પર અત્યાર સુધીની સૌથી ભયાનક હિંસામાં આસામ પોલીસના છ જવાનો શહીદ થયા હતા. આ બંને રાજ્યોના લગભગ 100 નાગરિકો અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે

આ પણ વાંચો: AIIMS Recruitment 2022: AIIMSમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">