West Bengal: મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરી મોકલાવી, CM બન્યા બાદ 11 વર્ષથી નિભાવી રહ્યા છે પરંપરા

મમતા બેનર્જીએ (Mamata Banerjee) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 18 કેન્દ્રીય પ્રધાનોને કેરીઓ મોકલી હતી.

West Bengal: મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરી મોકલાવી, CM બન્યા બાદ 11 વર્ષથી નિભાવી રહ્યા છે પરંપરા
Narendra Modi - Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 1:22 PM

રાજકારણમાં એકબીજાના વિરોધી હોવા છતાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી (Mamata Banerjee) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે કેરીની મીઠાશ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 18 કેન્દ્રીય પ્રધાનોને કેરીઓ મોકલી હતી. મમતા બેનર્જી આ પરંપરાને 11 વર્ષથી અનુસરી રહી છે. વર્ષ 2011માં તે પહેલીવાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી બન્યા ત્યારથી તે બંગાળની પ્રખ્યાત કેરીઓ મોકલી રહી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની ચાર પ્રખ્યાત કેરી લંગડા, હિમસાગર, આમ્રપાલી અને લક્ષ્મણભોગ મોકલી છે. જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી મેંગો ફેર બંધ હતો, પરંતુ આ વર્ષે ફરીથી મેંગો ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી બંધ રહ્યા બાદ પાટનગરની મધ્યમાં ફરી આ મેંગો ફેર શરૂ થયો છે.

દુર્ગા પૂજા પર મમતાએ પીએમ મોદીને કુર્તા અને મીઠાઈ મોકલી

મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય સંપર્કો સારા નથી. મમતા બેનર્જી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતી રહે છે, પરંતુ તાજેતરમાં નવી દિલ્હીમાં ન્યાયાધીશોની કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે મમતા અને હું ચૂંટણી પ્રતિસ્પર્ધી છીએ, પરંતુ અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. દીદી પોતે મારા માટે કુર્તા પસંદ કરે છે અને દર વર્ષે મોકલે છે. તે જાણે છે કે મને બંગાળી મીઠાઈઓ ભાવે છે અને તેથી જ તે મને મીઠાઈ મોકલે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

દિલ્હીમાં બે વર્ષ બાદ ફરી મેંગો ફેર શરૂ થયો

આ ઉપરાંત આ વર્ષે ફરી દિલ્હીમાં ‘મેંગો ફેર’ શરૂ થયો છે. આ મેળો ‘બંગાલ મેંગો ફેર’ તરીકે ઓળખાય છે. તેમાં હિમસાગર અને લંગડા કેરી ઉપરાંત નવાબ સિરાજદુલ્લાની પ્રિય કેરી ‘ઈકોહિતૂર’ પણ હાજર છે. એક કિલો કેરીની કિંમત 1200 રૂપિયા છે. આ ફેર 25 જુલાઈ સુધી ચાલશે. આ મેળા પર કેન્દ્રિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ સરકાર સત્તામાં આવ્યા બાદ માર્કેટિંગ માટે ખાસ પહેલ કરવામાં આવી છે. માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પણ વિદેશી બજારોમાં પણ વિતરિત થાય છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">