Arjun Singh Joins TMC: ભાજપના સાંસદ અર્જુન સિંહ TMCમાં જોડાયા, કહ્યું- ભાજપ માત્ર ફેસબુક પર જ રાજનીતિ કરે છે

બીજેપી સાંસદ અર્જુન સિંહ રવિવારે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા TMCમાં જોડાયા હતા. અર્જુન સિંહ (Arjun Singh) ટીએમસી સાંસદ અને મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા.

Arjun Singh Joins TMC: ભાજપના સાંસદ અર્જુન સિંહ TMCમાં જોડાયા, કહ્યું- ભાજપ માત્ર ફેસબુક પર જ રાજનીતિ કરે છે
Arjun Singh - Abhishek Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 7:53 PM

બંગાળના (West Bengal) બેરકપુરના બીજેપી સાંસદ અર્જુન સિંહ રવિવારે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા TMCમાં જોડાયા હતા. અર્જુન સિંહ (Arjun Singh) ટીએમસી સાંસદ અને મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા અભિષેક બેનર્જીએ ઉત્તર 24 પરગના TMCના નેતાઓ જ્યોતિપ્રિયા મલ્લિક, ધારાસભ્ય પાર્થ ભૌમિક સહિત અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અર્જુન સિંહને ટીએમસીમાં સામેલ કરવા પર સહમતિ બની હતી. જે બાદ અર્જુન સિંહ ઔપચારિક રીતે ટીએમસીમાં જોડાયા. તેમણે કહ્યું કે ભાજપ માત્ર ફેસબુક પર રાજનીતિ કરે છે. તેઓ સંગઠનની રાજનીતિ કરતા હતા.

બાહુબલી ભાજપના સાંસદ અર્જુન સિંહનું ટીએમસીમાં જોડાવું ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ટીએમસીમાં જોડાતા પહેલા અર્જુન સિંહ કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા, ત્યાં તેમની બેઠક થઈ. ત્યારબાદ તેઓ હોટેલથી સીધા કેમેક સ્ટ્રીટ પર ટીએમસીની ઓફિસ ગયા, જ્યાં તેઓ ટીએમસીમાં જોડાયા.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

ટીએમસીમાં જોડાયા બાદ અર્જુન સિંહે કહ્યું કે તેઓ ભાજપ છોડીને મમતા બેનર્જીના નિર્દેશ અને અભિષેક બેનર્જીનો સાથ લઈ ટીએમસીમાં જોડાયા છે. તેમણે કહ્યું કે જે રીતે બંગાળને આગળ લઈ જવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં તેઓ રાજકારણ કરી રહ્યા છે. જ્યુટની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવી રહી હતી. 15 જ્યુટ મિલો બંધ થઈ ગઈ છે. સીએમ મમતા બેનર્જીએ જ્યુટ મિલને લઈને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જ્યુટ મિલ બંધ થતાં કામદારો અને ખેડૂતો બધા બરબાદ થઈ જશે.

અભિષેક બેનર્જીએ ઉત્તર 24 પરગનાના TMC નેતાઓ સાથે બેઠક કરી

ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉત્તર 24 પરગના જિલ્લાના ટીએમસી નેતાઓ જ્યોતિપ્રિયા મલિક, ધારાસભ્ય પાર્થ ભૌમિક, ધારાસભ્ય રાજ ​​ચક્રવર્તી વગેરે સાથે બેઠક યોજી હતી. બાદમાં અર્જુન સિંહના કેમેક સ્ટ્રીટ ઓફિસમાં પહોંચ્યા બાદ આ નેતાઓની હાજરીમાં તેમણે અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પરસ્પર સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉત્તર 24 પરગનાના ટીએમસી નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ પાર્ટીના નિર્દેશને સ્વીકારે છે અને અર્જુન સિંહની સામેલગીરી સામે કોઈ વાંધો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">