West Bengal Assembly Election 2021: સંયુક્ત મોરચો બન્યા પહેલા જ CONGRESS-ISFમાં અણબનાવ, મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમુલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે.

West Bengal Assembly Election 2021: સંયુક્ત મોરચો બન્યા પહેલા જ CONGRESS-ISFમાં અણબનાવ, મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 28, 2021 | 6:27 PM

West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમુલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે. સંયુક્ત મોરચો આગળ વધે એ પહેલા જ CONGRESS-ISF વચ્ચે અણબનાવ ખુલીને સામે આવ્યા છે. 

CONGRESS-ISFમાં અણબનાવ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ, ડાબેરી અને ISFની પહેલી બ્રિગેડસભા હતી. બ્રિગેડસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ISF સમર્થકો એકઠા થયા હતા. સમર્થકોની હાજરીથી વિરોધી પક્ષો ઉત્સાહિત હતા, પરંતુ બ્રિગેડસભાના અંત સુધીમાં કોંગ્રેસ અને ISFએ આખું વાતાવરણ બગાડ્યું. આ સંયુક્ત મોરચામાં ડાબેરીઓએ અબ્બાસ સિદ્દીકીને 30 બેઠકો આપવાની ઘોષણા કરી છે, જ્યારે અબ્બાસ સિદ્દીકી કોંગ્રેસ પાસે વધુ 12 બેઠકોની માંગ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તે આપવા તૈયાર નથી. અબ્બાસ સિદ્દીકીએ બેઠકો માટે મંચ પરથી જ કોંગ્રેસ પર દબાણ ઉભું કર્યું હતું.

 

મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

સંયુક્ત મોરચાની આ બ્રિગેડસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે ISF નેતા અબ્બાસ સિદ્દીકી સ્ટેજ પર ઉભા થયા અને ડાબેરી નેતાઓએ અબ્બાસ સિદ્દીકીનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. તેનાથી નારાજ થઈને અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ આ સભાને સંબોધિત નહીં કરે અને મંચ પરથી નીચે ઉતરી ચાલતી પકડી હતી. ત્યાં હાજર વિમાન બાસુ અને ડાબેરી નેતાઓએ અધિરરંજન ચૌધરીને સમજાવવાના પ્રયત્નો કર્યા અને અંતે અધિરરંજન ચૌધરી માની ગયા અને ફરી સભાને સંબોધવાનું શરૂ કર્યું.

 

અબ્બાસ સિદ્દીકીએ કહ્યું, કોંગ્રેસ પાસે ભીખ નથી માંગતો

  કોંગ્રેસ સાથે ખુલ્લા મતભેદ સ્વીકારતા ISFના નેતા અબ્બાસ સિદ્દીકીએ કહ્યું કે કોંગ્રેસ પાસે ભીખ નથી માંગી રહ્યા. બીજી બાજુ  જ્યારે અબ્બાસ સિદ્દીકીએ મંચ પરથી સભાને સંબોધન કરતી વખતે ડાબેરી નેતાઓની પ્રશંસા કરી, પરંતુ કોંગ્રેસની પ્રસંશા ન કરી. તેમણે કહ્યું કે બેઠક વહેંચણી અંગે ડાબેરીપક્ષો સાથે તેમનો કરાર છે, પણ તેઓ અન્ય કોઈ એટલે કે કોંગ્રેસ પાસે ભીખ નહીં પણ અધિકાર માંગે છે.

આ પણ વાંચો: West Bengalમાં ભાજપની પ્રચાર વાન તોડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 5 આરોપીની ધરપકડ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">