West Bengal : વીજળી પડવાથી 26 લોકોના મૃત્યુ, વડાપ્રધાન મોદીએ જાહેર કરી સહાય
West Bengal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.
West Bengal : પશ્ચિમ બંગાળમાં વીજળીએ હાહાકાર મચાવ્યો છે. 7 જૂનને સોમવારે રાજ્યના પાંચ જિલ્લામાં વીજળી પડવાથી 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.સોમવારે પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના કારણે 26 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કરવાની સાથે વળતરની પણ જાહેરાત કરી છે.
મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની જાહેરાત પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું કે, “મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે, જેમણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વીજળી પડવાના કારણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલ્દી જ સ્વસ્થ થાય.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives due to lightning in various parts of West Bengal. Rs. 50,000 would be given to the injured.
— PMO India (@PMOIndia) June 7, 2021
ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું ગૃહમંત્રી શાહે ટ્વિટ કર્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં વીજળી પડવાના કારણે લોકોનાં મોતની ઘટના ખૂબ જ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના.
The loss of lives due to lightning in different parts of West Bengal is deeply saddening. My sincerest condolences to the families of those who have lost their loved ones. Praying for the speedy recovery of those injured.
— Amit Shah (@AmitShah) June 7, 2021
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા West Bengal માં વીજળી પડવાના કારણે મુર્શીદાબાદ જિલ્લામાં વધુ ત્રણ લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે જંગીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલકત્તા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં બપોર પછીથી ભારે વરસાદ પડ્યો હતો, જેને હવામન વિભાગે ચોમાસા પૂર્વેના વરસાદ તરીકે વર્ણવ્યું હતું. વીજળી પડવાને કારણે હુગલીમાં 11, મુર્શિદાબાદમાં 2, બાંકુરામાં 2, પૂર્વ મિદનાપુર અને પશ્ચિમ મિદનાપુરમાં 1 વ્યક્તિનાં મોત થયાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે.