આતંકવાદના ખાત્મા માટે આફ્રિકન દેશો સાથે મિલાવીશું હાથ, વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવી નવી રણનીતિ

વિદેશમંત્રી એસ.જયશંકરે (Dr. S.jaishankar)કહ્યું હતું કે ભારત (India) અને (Africa) દેશ સત્વરે સંરક્ષણ મંત્રીનું સંમેલન યોજી શકે છે. અને આતંકવાદ(Terrorism)સામે અવાજ બુલંદ કરવા માટે આગળની રણનીતિ પર કામ કરશે.

આતંકવાદના ખાત્મા માટે આફ્રિકન દેશો સાથે મિલાવીશું હાથ, વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવી નવી રણનીતિ
Dr. S.jayshankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 7:35 AM

વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરે (Dr. S.jaishankar) પુસ્તક લોકાર્પણ અવસરે કહ્યું હતું કે આતંકવાદ  (Terrorism) સામે ભારત વૈશ્વિક સ્તરે અવાજ બુલંદ કરવાની સાથે સાથે તેને પહોંચી વળવાની રણનીતિ ઉપર પણ કામ કરે છે.  વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે ભારત (India) અને (Africa) દેશ સત્વરે સંરક્ષણ મંત્રીનું સંમેલન યોજી શકે છે. અને આતંકવાદ (Terrorism) સામે અવાજ બુલંદ કરવા માટે આગળની રણનીતિ પર કામ કરશે. ભારત સહિત આફ્રિકા અને અન્ય દેશોમાં પણ આતંકવાદનો ખતરો વધી રહ્યોછે. એવામાં ભારત હવે આફ્રિકન દેશો સાથે આતંકવાદને પહોંચી વળવા માટે કામ શરૂ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું હતું કે ભારત કટ્ટરપંથ અને આતંકવાદથી આફ્રિકી દેશો માટે  ઉત્પન્ન થઈ રહેલા ખતરાને પહોંચી વળવા માટે તેમનો સહયોગ કરે છે.

સાથે જ વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે બંને દેશો જલદીથી સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ આયોજિત કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને આફ્રિકાએ સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષામાં સહયોગ કરવા ઉપરાંત સંયુક્ત રૂપે કોરોના મહામારીનો સામનો કરવા તેમજ રશિયા અને યૂક્રેનના યુદ્ધને કાણે ઉત્પન્ન થયેલી સમસ્યાઓના ઉકેલ માટે પણ કામ કરવું જોઈએ.

પૂર્વ આફ્રિકા સાથે ભારતના મજબૂત સંબંધ

એસ.જયશંકરે આ વાત પૂર્વ રાજદૂત રાજીવ ભાટિયાના પુસ્તક ઇન્ડિયા આફ્રિકા રિલેશન્સ-ચેન્જિંગ હોરાઇઝન્સના વિમોચન અવસરે જણાવી હતી. આ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે પૂર્વ આફ્રિકા સાથે ભારતના સંબંધો વિશેષ મજબૂત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આતંકવાદ સામે ભારત સતર્ક

વિદેશ મંત્રી એ આ દરમિયાન કહ્યું કે અમે આતંકવાદ અને આતંકવાદથી આફ્રિકન સમાજ માટે વધતા ખતરા પ્રત્યે જાગૃત છીએ. આ સહયોગ માટે અમારા એજન્ડાનો વિષય છે. અગાઉ ફેબુઆરી વર્ષ 2020માં આયોજિત પ્રથમ ભારત આફ્રિકા રક્ષા મંત્રીઓના સંમેલનમાં બંને પક્ષોએ રક્ષા સહયોગને મજબૂતી આપી હતી. અને આ રક્ષા વાર્તાનું બીજું સંસ્કરણ આ વર્ષે માર્ચમાં આયોજિત કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈક કારણ સર તેને સ્થગિત કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલન ઝડપથી આયોજિત કરવામાં આવશે

આફ્રિકન દેશો સાથે રહ્યો છે રક્ષા સહયોગ

તેમણે રક્ષા અને સમુદ્રી ક્ષેત્રમાં ચાલી રહેલા સહયોગને બંને પક્ષો વચ્ચેના સંબંધોનો સ્વાભાવિક વિસ્તાર ગણાવ્યો હતો. અને કહ્યું કે ભારત – નાઇજિરિયા, ઇથોપિયા અને ટાન્ઝાનિયામાં રક્ષા સંસ્થાનોની સ્થાપના સાથે જોડાયેલો છે. ભારતીય સૈન્ય પ્રશિક્ષણ ટીમોએ બોત્સવાના, જામ્બિયા. યુગાન્ડા, નામીબિયા, ટાન્ઝાનિયા, મોરેશિયસ અને સેશેલ્સમાં ત્યાંની સેનાઓ સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત વધાત સમુદ્રી સહયોગ સેશેલ્સની આસપાસ છે.

વિદેશ મંત્રીએ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે પાઇરસી , નશીલા પદાર્થો અને આતંકવાદ વિરોધી પડકારો સામે સંયુક્ત સમસ્યા ઝડપથી વધી રહી છે. ભારત સાગર સિદ્ધાતનું અનુપાલન કરે છે અને મોટા ભાગે માનવીયસહાયતા અને આપદા અને રાહતની સ્થિતિમાં સહયોગ આપે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">