રાજસ્થાનના રાજકારણ પર કોંગ્રેસ ભાજપ વચ્ચે વાકયુદ્ધ, ‘ભારત જોડો છોડો, નેતાઓને જોડો’, ભાજપે લીધી ફિરકી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur) કહ્યું કે 'ભારત જોડો'માં મનોરંજન ઓછું હોય તો હવે રાજસ્થાન(Rajasthan)માં શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સરકાર નામની કોઈ વસ્તુ નથી. કોંગ્રેસમાં ન તો દિશા છે કે ન નેતા.
રાજસ્થાન(Rajasthan)માં સીએમ અશોક ગેહલોત(Ashok Gehlot)ના ઉત્તરાધિકારી માટે ચાલી રહેલી રાજકીય રમતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)પણ કૂદી પડી છે. આ રાજકીય સંકટ પર રાજસ્થાન વિધાનસભા(rajasthan Assembley)ના વિરોધપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે જ્યારે સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું છે ત્યારે એકલા મુખ્યમંત્રી શું કરશે? આવા સમયે મુખ્યમંત્રીએ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવી જોઈએ અને ગૃહ વિસર્જનની ભલામણ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય વિકાસ સરકારની અસ્થિરતા દર્શાવે છે. આ સરકારનો જન્મ આંતરકલહમાંથી થયો હતો અને કમનસીબે આંતરકલહ હજુ પણ ચાલુ છે. રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે પહેલીવાર બહાદુર ધારાસભ્યોએ તેમના હાઈકમાન્ડને પડકાર ફેંક્યો છે.
#RajasthanPoliticalCrisis | This ‘naatak’ shouldn’t happen, enough with this drama. Sometimes they stay in hotels for days, the other times the leaders who run the govt go into another party, nothing can be more unfortunate: Deputy LoP of State Assembly, Rajendra Rathore pic.twitter.com/o4Cb7wtRzC
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 26, 2022
‘ભારત જોડો’એ મનોરંજન ઓછું કર્યું છે?
રાજસ્થાનના રાજકીય સંકટ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ભારત જોડો’માં મનોરંજન ઓછું થયું છે તે હવે રાજસ્થાનમાં પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સરકાર નામની કોઈ વસ્તુ નથી. કોંગ્રેસમાં ન તો દિશા છે કે ન નેતા. કોંગ્રેસ માત્ર સત્તાનો આનંદ માણવા માંગે છે, જનતાની સેવા કરવા માંગતી નથી.
‘भारत जोड़ो’ में मनोरंजन कम हुआ अब राजस्थान में भी शुरू हो गया है। राज्य में सरकार नाम की कोई चीज़ नहीं है। कांग्रेस सिर्फ सत्ता का सुख भोगना चाहती हैं, जनता की सेवा नहीं करना चाहती… कांग्रेस में न दिशा है न नेता है:राजस्थान राजनीतिक संकट पर केंद्रीय मंत्री अनुराग ठाकुर,कांगड़ा pic.twitter.com/e8OSAfNKDo
— ANI_HindiNews (@AHindinews) September 26, 2022
92 ધારાસભ્યએ રાજીનામું આપ્યું
વાસ્તવમાં, રાજસ્થાનમાં સીએમ પદ માટે સચિન પાયલટનું નામ સામે આવ્યા બાદ, મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર માનવામાં આવતા 92 ધારાસભ્યોએ રવિવારે રાત્રે સ્પીકર સીપી જોશીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્ય વિધાનસભામાં મુખ્ય દંડક મહેશ જોશીએ રવિવારે મોડી રાત્રે કહ્યું કે અમે રાજીનામું આપી દીધું છે અને હવે આગળ શું કરવું તે સ્પીકર નક્કી કરશે.
कृपया पहले इन्हें जोड़ लो pic.twitter.com/UZ84sCTgpA
— Bhupender Yadav (@byadavbjp) September 25, 2022
સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે
જો કે, આ હંગામાથી નારાજ થઈને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને તમામ ધારાસભ્યો સાથે વાત કરીને મામલો ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. પરંતુ નારાજ ધારાસભ્ય તેમને મળવા તૈયાર ન હતા. ગેહલોતના સમર્થક ધારાસભ્યો ઈચ્છે છે કે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત 19 ઓક્ટોબર સુધી મોકૂફ રાખવામાં આવે. આ પછી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બંને નિરીક્ષકો, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પાછા દિલ્હી પહોંચી રહ્યા છે અને પોતાનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે.