મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું… ખેડૂતના પુત્રએ આજે ઉમેદવારી નોંધાવી… તક આપવા માટે આભાર: જગદીપ ધનખડ
ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂકેલા જગદીપ ધનખડને NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂકેલા જગદીપ ધનખડને NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જગદીપ ધનખડે નામાંકન ભર્યા બાદ કહ્યું, મેં સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને આવી તકો મળશે. એક ખેડૂતના પુત્રએ આજે ઉમેદવારી નોંધાવી છે… આ તક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેતૃત્વનો આભાર.
#WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi.
(Source: DD) pic.twitter.com/jyUOddtxOe
— ANI (@ANI) July 18, 2022
માનવામાં આવે છે કે આ પદ માટે જગદીપ ધનખડને નોમિનેટ કરીને ભાજપે અનેક મોરચે પોતાની રાજનીતિને નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે, જગદીપ ધનખડ, રાજસ્થાનના જાટ નેતા છે અને તેમને સમાજવાદી પૃષ્ઠભૂમિના નેતા માનવામાં આવે છે – જે પાર્ટીને રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની આશા છે.
ધનખડના નામની ઘોષણા થયા પછી, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને ‘ખેડૂતનો પુત્ર’ કહ્યા અને કહ્યું કે તેમણે પશ્ચિમ બંગાળમાં ‘લોકોના રાજ્યપાલ’ તરીકે પોતાને સ્થાપિત કર્યા છે. આ ઉપરાંત નડ્ડાએ જગદીપ ધનખડ વિશે એમ પણ કહ્યું હતું કે તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમણે પોતાનું ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા અને સામાજિક અને આર્થિક અવરોધોને પાર કરીને દેશની સેવા કરવામાં કોઈ કસર છોડી નથી.
જગદીપ ધનખડને જુલાઈ 2019 માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ટીકા કરવા માટે વારંવાર સમાચારમાં રહે છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એક દૂરના ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખડે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી લીધી હતી.
10 ઓગસ્ટે સમાપ્ત થશે વેંકૈયા નાયડુનો કાર્યકાળ
સંસદમાં સભ્યોની વર્તમાન સંખ્યા 780 છે, જેમાંથી માત્ર ભાજપના 394 સાંસદો છે. જીતવા માટે 390 થી વધુ વોટ જરૂરી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને 6 ઓગસ્ટે મતદાન થવાનું છે.