વડાપ્રધાન મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલ ઉદ્ઘાટન, આગ્રામાં 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને […]
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને પર્યટનની દ્રષ્ટિએ પણ આગરાને લાભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપસિંહ પુરી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે આ પરિયોજનાથી આગ્રામાં લગભગ 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો