UTTRAPRADESH: ઉન્નાવ હત્યા કેસમાં પીડિતાના પરિવારજનોના વિરોધી નિવેદનોથી મામલો પેચીદો બન્યો
UTTRAPRADESH: ઉન્નાવ હત્યા કેસમાં પીડિતાના પરિવારના સભ્યોના નિવેદનોમાં તફાવત હોવાને કારણે મામલો પેચીદો છે. જયારે પોસ્ટમોર્ટમમાં અલગ જ કારણ સામે આવ્યું છે.
UTTRAPRADESH : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ઘઉંના ખેતરોમાં ઘાસચારો લેવા ગયેલી ત્રણ છોકરીઓ શંકાસ્પદ હાલતમાં દુપટ્ટા સાથે બંધાયેલી હાલતમાં મળી હતી. આમાંની બે છોકરીઓના મોત નીપજ્યાં છે જ્યારે એકની હાલત ગંભીર છે. આ કેસ હવે પેચીદો થઇ રહ્યો છે અને તેનું કારણ પીડિતાના પરિવારજનોના જુદા જુદા નિવેદનો છે. નિવેદનોમાં તફાવત હોવાને કારણે પોલીસ પણ નારાજ છે અને પરિવારના કેટલાક સભ્યોને પૂછપરછ માટે લઈ ગઈ છે.
પીડિતાના ભાઈ અને માતાના વિરોધી નિવેદનો મૃતક યુવતીના ભાઈનું કહેવું છે કે તે જ્યારે સ્થળ પર પહોંચ્યો ત્યારે બંને મૃતક યુવતીઓને દુપટ્ટાથી બાંધી હતી. જ્યારે આ ઘટનામાં જે યુવતીની હાલત ગંભીર છે તેની માતાએ કહ્યું કે તેણે કોઈ પણ છોકરીને દુપટ્ટાથી બાંધેલી જોઇ નહોતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પીડિતોના પરિવારના નિવેદનો કેમ અલગ છે. આ માટે પોલીસે કેટલાક લોકોને પૂછપરછ માટે સાથે લઇ ગઈ છે.
પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ અલગ જ ! બંને મૃતક યુવતીઓનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર બંનેના શરીરમાંથી ઝેરી પદાર્થ મળી આવ્યા છે. તે કયા ઝેરી પદાર્થ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. રિપોર્ટના આધારે પોલીસ હજી તપાસ કરી રહી છે અને ઝેરના પ્રકારને શોધવાના પ્રયત્નો શરૂ છે. મળતી માહિતી મુજબ મૃતક યુવતીઓના શરીરમાં ઝેરી પદાર્થોની પુષ્ટિ કરવામાં આવી છે. હવે નમૂનાને લેબમાં મોકલવામાં આવશે, જ્યાં તપાસ બાદ જાણ થશે કે તે કયા પ્રકારનો ઝેરી પદાર્થ છે. તપાસમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે યુવતીઓનું મૃત્યુ ઝેરી પદાર્થને કારણે થયું હતું. પોલીસે તપાસ આગળ વધારવા માટે FSLટીમને બોલાવી છે, જે આ ઘટનાનું રિક્રીએશન કરશે.
17 ફેબ્રુઆરીએ બની હતી ઘટના લખનૌથી આશરે 36 કિલોમીટર દૂર ઔષાના બાબુહારા ગામમાં એક ખેતરમાં 17 ફેબ્રુઆરીને બુધવારે સાંજે ગામના લોકોને 14, 15 અને 16 વર્ષની ત્રણ છોકરીઓ દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને યુવતીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન ત્રણમાંથી બે છોકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી છોકરીઓને તાત્કાલિક ઉન્નાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જતી અને બાદમાં કાનપુર હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.