Uttarkashi Bus Accident: યમુનોત્રી જતી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી, 27ના મોત અને 3ની હાલત ગંભીર; સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરકાશી (Uttarkashi Bus Accident )જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 4 ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

Uttarkashi Bus Accident: યમુનોત્રી જતી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી, 27ના મોત અને 3ની હાલત ગંભીર; સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
ઉતરકાશીમાં બસ અકસ્માતમાં 27ના મોતImage Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:37 AM

Uttarkashi Bus Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ પાસે એક પેસેન્જર બસ ક્રેશ થઈ ગઈ. આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયતના સભ્ય હકમસિંહ રાવત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને એસડીઆરએફની ટીમ પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. મધ્ય પ્રદેશથી આવી રહેલી બસ યમુનોત્રી તરફ જઈ રહી હતી, જે રિખાઓન ખાડ પાસે દમતા અને નૌગાંવ વચ્ચે ખીણમાં પડી ગઈ હતી. બસ લગભગ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી (ઉત્તરકાશી અકસ્માત). આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હકમ સિંહ રાવતે જણાવ્યું કે બસમાં લગભગ 30 લોકો હતા.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઘણા ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. મુસાફરોને લઈ જતી બસ દમતા પાસે અથડાઈ હતી. ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે. SDRFની ટીમ સતત કામમાં લાગેલી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોની શોધ અને બચાવ સંબંધિત મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ઉત્તરકાશીનો આ નંબરો પર સંપર્ક કરી શકાય છે- 7500337269,  7310913129, 9027042212, 9997871927

NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અભિષેક રુહેલાએ તબીબો અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવા સૂચના આપી હતી. આ સાથે, પીએચસી દામતા અને સીએચસી નૌગાંવમાં ઘાયલોની સારવાર માટે સાધનો તૈયાર રાખવા માટે સીએમઓને સૂચના આપવામાં આવી હતી. ડીએમએ એનડીઆરએફ અને ડિઝાસ્ટર ક્યુઆરટી સાથે રેવન્યુ ટીમ મોકલવાની સૂચના આપી તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચવા માટે બચાવ કાર્યમાં લાગેલી છે. SDRF ટીમના બેકઅપ માટે, ઉજેલી, મોરી, ચક્રતા અને સહસ્ત્રધારા ચોકીઓની ટીમો પણ સ્થળ પર રવાના કરવામાં આવી છે. SDRFની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.

દેહરાદૂનમાં દાખલ 3 ઘાયલોની હાલત ગંભીર

યમુનોત્રી હાઈવે પર દમતા પાસે બસ દુર્ઘટનામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઉત્તરકાશી, શ્રી અભિષેક રુહેલા અને એસપી ઉત્તરકાશી શ્રી અર્પણ યદુવંશી સ્થળ પર હાજર છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. દેહરાદૂન રિફર કરાયેલા 3 ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ઉત્તરકાશી બસ દુર્ઘટના બાદ ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આગેવાની લીધી છે. તેઓ દેહરાદૂનના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા અને જિલ્લા પ્રશાસનને ઘાયલોની સારવારની સાથે રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી.

મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત

પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે, મધ્ય પ્રદેશ સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ દેહરાદૂન માટે રવાના થઈ ગયા છે. તેઓ પોતે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">