UP IT Raid: ત્રણ દિવસ બાદ ડીજીઆઈની ટીમે પીયૂષ જૈનને કસ્ટડીમાં લીધો, કહ્યું ક્યાંથી આવ્યા કરોડો રૂપિયા
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે કન્નૌજમાં તેના નિવાસસ્થાનેથી 5 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 185 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
કરોડો રૂપિયાની રિકવરી કરીને ચર્ચામાં આવેલા કાનપુરના (Kanpur) બિઝનેસમેન પીયૂષ જૈનની (Piyush Jain) આવકવેરા વિભાગે (Income Tax Department) અટકાયત કરી છે. જો કે આ પહેલા જ જૈનના બંને પુત્રોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શનિવારે કાનપુરના આનંદપુરીમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરેથી વધુ 5 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે કન્નૌજમાં તેના નિવાસસ્થાનેથી 5 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 185 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ સાથે કન્નૌજમાંથી 15 કિલો સોનાના ઘરેણા અને 50 કિલો ચાંદી મળી આવી છે.
હાલમાં ત્રણ દિવસ બાદ ડીજીઆઈની ટીમે પીયૂષ જૈનને કસ્ટડીમાં લીધો છે અને આવકવેરા વિભાગ તેને કન્નૌજ લઈ ગયા હતા. અને પૈતૃક મકાનની તલાશી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્ત લોકરની શોધમાં ઘરની દિવાલોને કટરથી કાપવામાં આવી રહી છે. આ સાથે શનિવારે બપોરે 2.30 વાગ્યે આનંદપુરીના ઘરેથી નોટોથી ભરેલા 21 બોક્સની છેલ્લી ખેપ મોકલવામાં આવી હતી. જૈન પાસે મળેલી તિજોરી રાખવા માટે સ્ટેટ બેંકની કરન્સી ચેસ્ટ મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 180 કરોડ રૂપિયા અહીં રાખવામાં આવ્યા છે.
પીયૂષ જૈને જણાવ્યું કે પૈસા ક્યાંથી આવ્યા પિયુષ જૈને જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓને પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે આ પૈસા મારા છે, જે પૈતૃક સોનું વેચીને જમા કરાવ્યા હતા. જોકે, જૈન સોના અંગે વધુ જવાબ આપી શક્યા ન હતા. જેમ કે આવકવેરા વિભાગના અધિકારીઓએ પૂછ્યું કે સોનું શા માટે વેચવામાં આવ્યું, કોને વેચવામાં આવ્યું. તેની પાસે જવાબ નહોતો.
જૈનના ઘરે મશીન વડે નોટોની ગણતરી થઈ હતી આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર કન્નૌજમાં બે દિવસની મહેનત બાદ વિજિલન્સ ટીમને પીયૂષ જૈનના ઘરેથી મોટી રકમ પણ મળી છે અને ત્યાંથી નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. જૈનના ઘરમાં બોરીઓ, કાર્ડબોર્ડ અને દિવાનમાં નોટો રાખવામાં આવી હતી અને આ રકમ રૂ. 2,000 અને રૂ. 500ની નોટોમાં હતી.
પીયૂષની નજીકના અડધો ડઝન બિઝનેસમેન નિશાના પર હાલમાં પીયૂષ જૈનને કસ્ટડીમાં લીધા બાદ હવે આવકવેરા વિભાગની નજર તેના નજીકના લોકો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે જૈનના ઘરમાં માત્ર પૈસા જ રાખવામાં આવ્યા છે. પાન મસાલા સાથે સંકળાયેલા વેપારીઓએ જૈનોના ઘરને પૈસાનો ગોદામ બનાવી દીધો હતો. અબજો રૂપિયા સાથે ઘરમાં બેઠેલા પરફ્યુમના બિઝનેસમેન પીયૂષ જૈનના નજીકના બિઝનેસમેનની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને DGGIના રડાર પર અડધો ડઝન બિઝનેસમેન છે.
આ પણ વાંચો : Punjab: ખેડૂતોના સંગઠનોની ચૂંટણી લડવાની જાહેરાત પર SKMએ કહ્યું- મોરચો બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી
આ પણ વાંચો : Omicron Variant : નવા વેરિઅન્ટની વધતી ચિંતા વચ્ચે હાલનું માસ્ક કેટલું છે કારગર ? શું કહે છે વિશેષજ્ઞ