Gyanvapi Masjid: જ્ઞાનવાપી સર્વેના ફોટા અને વીડિયો સાર્વજનિક કરવાની અરજી પર સુનાવણી શરૂ, કોર્ટની બહાર સુરક્ષામાં વધારો

જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને પૂજા કરવાની પરવાનગી માટેની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે (Court) નિર્ણય અનામત રાખ્યો છે. સાથે જ ચુકાદો સંભળાવવા માટે સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Gyanvapi Masjid: જ્ઞાનવાપી સર્વેના ફોટા અને વીડિયો સાર્વજનિક કરવાની અરજી પર સુનાવણી શરૂ, કોર્ટની બહાર સુરક્ષામાં વધારો
Gyanvapi Masjid CaseImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 3:22 PM

વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસની (Gyanvapi Masjid Case) સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેના કારણે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. જેમાં જ્ઞાનવાપી સર્વેનો ફોટો અને વિડીયો સાર્વજનિક કરવા પર અરજી કરવામાં આવી હતી. આજે કોર્ટમાં સુનાવણી બાદ સર્વેના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટ સાર્વજનિક ન કરવા અપીલ કરી છે. આજે કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદને લગતી બે અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને પૂજા કરવાની પરવાનગી માટેની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. સાથે જ ચુકાદો સંભળાવવા માટે સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

શિવલિંગ મળ્યાનો દાવો

હિંદુ પક્ષે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે 25 મેના રોજ સુનાવણી થઈ હતી. તમને જણાવી દઈએ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં એડવોકેટ કમિશનરના સર્વે બાદ હિન્દુ પક્ષે વજુખાનામાં શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. આ પછી તરત જ કોર્ટે વઝુખાનાને સીલ કરવા અને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

સાથે જ મુસ્લિમ પક્ષે શિવલિંગના દાવાને ખોટો ગણાવ્યો હતો અને ફુવારો હોવાની ચર્ચા હતી. સાથે જ આ બધાની વચ્ચે સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવાની પણ સતત માગ કરવામાં આવી રહી છે. જેના માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે.

નોંધનીય છે કે 18 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હીની રાખી સિંહ સહિત પાંચ મહિલાઓએ સિવિલ જજની કોર્ટમાં જ્ઞાનવાપી સંકુલમાં શૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનની કાર્યવાહી જ્ઞાનવાપી કેમ્પસમાં થઈ હતી, જેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં, મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને મૂળ કેસના ગુણદોષ પર સર્વે અને સુનાવણી અટકાવવાની માંગ કરી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">