Satta Sammelan: પાકની ગુણવત્તા નબળી કહી બજારમાં નીચા ભાવ બોલાય છે, TV9 સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈત MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ
કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ પણ ખેડૂતો ધરણા પ્રદર્શન બંધ કરવા તૈયાર નથી. તેઓ કહે છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.
ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws) હટાવ્યા પછી પણ, ખેડૂતોના સંગઠનોએ તેમની માંગણીઓ પર અડગ રહેતા આજે લખનૌમાં મહાપંચાયત (Kisan Mahapanchayat) યોજી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે સરકારે પહેલા MSP પર કાયદો બનાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પહેલા પણ એમએસપી ચાલુ રાખવાની વાત કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં TV9 સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર આ અંગે કાયદો કેમ નથી બનાવતી. તેઓ માત્ર કાયદો ઘડવાની માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ કહે છે કે જ્યારે પાક પર MSP છે, તો પછી કાયદો બનાવવામાં નુકસાન શું છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર MSP પર ખેડૂતોનો પાક ખરીદી રહી નથી. ટિકૈતે સ્પષ્ટ કર્યું કે તેઓ એમએસપી પર કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે જેથી કરીને સરકારી ખરીદી બાદ ખેડૂતોને તેના કરતા ઓછા ભાવે બજારમાં પાક વેચવો ન પડે. જ્યારે પણ પાકની હરાજી થાય ત્યારે MSPથી નીચે બોલી ન લગાવો. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના કારણે ખેડૂતોને 1100 થી 1200 રૂપિયામાં પાક વેચવાની ફરજ પડી રહી છે.
બજારમાં મળે છે પાકના ઓછા ભાવ તેમણે કહ્યું કે ખેડૂતના પાકમાં ખામી બતાવીને તેના ઓછા ભાવ બજારમાં મુકવામાં આવે છે. જ્યારે બિહારમાં સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં ખેડૂતોને માત્ર 800 રૂપિયામાં પાક વેચવાની ફરજ પડી રહી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યારે એમએસપી પર ગેરંટી કાયદો બનશે, ત્યારે બજારમાં પાકની બોલી તેનાથી નીચે કરવામાં આવશે નહીં.
ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર આ મુદ્દે વાતચીત માટે તૈયાર નથી. ટિકૈતે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીએ એક કમિટીની રચના કરી હતી, આ કમિટીએ તત્કાલીન પીએમને ડ્રાફ્ટ સુપરત કર્યો હતો, જેમાં એમએસપી પર ગેરંટી આપવાની વાત કહેવામાં આવી હતી.
MSP પર ગેરંટી કાયદાની માગ રાકેશ ટિકૈતે કહ્યું કે આજે પીએમ રહીને નરેન્દ્ર મોદી (Narendra Modi) માટે આ કામ કરવું ખૂબ જ સરળ છે, તેથી જ વાતચીત માટે બીજી કમિટી બનાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર વહેલી તકે એમએસપી પર ગેરંટી કાયદો ઘડે તે પછી જ ખેડૂતોનું આંદોલન બંધ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ પણ ખેડૂતો ધરણા પ્રદર્શન બંધ કરવા તૈયાર નથી. તેઓ કહે છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.