UP Assembly Election: યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર, કહ્યુ- શેરડીની મીઠાશ ફેલાવવી છે કે જિન્નાની નફરત ?

અખિલેશ યાદવે જિન્ના પર કરેલી ટીપ્પણી બાદ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ પછી પણ અખિલેશ પોતાનું નિવેદન પાછું લેવા તૈયાર નથી.

UP Assembly Election: યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર, કહ્યુ- શેરડીની મીઠાશ ફેલાવવી છે કે જિન્નાની નફરત ?
Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 4:56 PM

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના (Jewar Airport) ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ‘ગન્ના VS જિન્ના’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જેવર ઉત્તમ ગુણવત્તાયુક્ત શેરડી માટે પ્રખ્યાત છે. વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે બ્યુગલ ફૂંકતા સીએમ યોગીએ કહ્યું કે મીઠાશ ફેલાવવાને બદલે કેટલાક લોકોએ તોફાનો કરાવ્યા. તેમણે કહ્યું કે આજે દેશ પાસે બે વિકલ્પ છે. એક તો દેશ પોતાની શેરડીની મીઠાશ ફેલાવે અથવા જિન્નાની નફરત ફેલાવે.

યોગી આદિત્યનાથનો ‘ગન્ના VS જિન્ના’નો મુદ્દો વર્ષ 2018નો છે. આ મુદ્દો પેટાચૂંટણી પહેલા શરૂ થયો હતો. યુપીમાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ફરી એકવાર જિન્નાના નામ પર વિવાદ શરૂ થયો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) સરદાર પટેલની જન્મજયંતિના અવસર પર પૂર્વ પીએમ નેહરુ અને જિન્નાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જિન્નાએ નેહરુ સાથે અભ્યાસ કર્યો હતો અને બંને સાથે બેરિસ્ટર બન્યા હતા. સપા પ્રમુખે કહ્યું હતું કે જિન્નાએ દેશને આઝાદી અપાવવામાં પણ મદદ કરી હતી. તેઓ દેશની આઝાદી માટે પણ લડ્યા હતા.

ચૂંટણી પહેલા જિન્ના પર વિવાદ અખિલેશ યાદવે જિન્ના પર કરેલી ટીપ્પણી બાદ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ પછી પણ અખિલેશ પોતાનું નિવેદન પાછું લેવા તૈયાર નથી. આજે જેવર એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકોને કહ્યું કે દેશને શેરડીની મીઠાશ જોઈએ છે કે જિન્નાની નફરત.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આગામી દિવસોમાં તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ એરપોર્ટ બનાવવા માટે લગભગ 15,000 થી 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેના પ્રથમ તબક્કામાં રૂ. 10,050 કરોડનો ખર્ચ થશે. એરપોર્ટ પર બે પેસેન્જર ટર્મિનલ હશે. ટર્મિનલ 1ની ક્ષમતા વર્ષે 10 મિલિયન મુસાફરોની હશે અને ટર્મિનલ 2ની ક્ષમતા વર્ષે 40 મિલિયન મુસાફરોની હશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટર્મિનલ 1 પણ બે તબક્કામાં બનાવવામાં આવશે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો : Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ

આ પણ વાંચો : Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">