UP Assembly Election: તેઓ લૂંટ કરતા નથી થાકતા અને અમે કામ કરતા નથી થાકતા: પીએમ મોદીએ સપા-બસપા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ માત્ર બુંદેલખંડને લૂંટવાનું કામ કર્યું હતું. તે સરકારોએ બુંદેલખંડને લૂંટીને તેમના પરિવારનું જ ભલું કર્યું. અહીંના પરિવારો ટીપા માટે તડપતા રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહોબામાં અર્જુન સહાયક પ્રોજેક્ટનું ( Arjun Sahayak Project) ઉદ્ઘાટન કરીને અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ માત્ર બુંદેલખંડને લૂંટવાનું કામ કર્યું હતું. તે સરકારોએ બુંદેલખંડને (PM Modi In Bundelkhand) લૂંટીને તેમના પરિવારનું જ ભલું કર્યું. અહીંના પરિવારો ટીપા માટે તડપતા રહ્યા, પરંતુ અગાઉની સરકારોને તેની સાથે કોઈ લેવાદેવા નહોતું. આ સાથે પીએમે કહ્યું કે બુંદેલખંડના લોકો પહેલીવાર વિકાસની સરકાર જોઈ રહ્યા છે.
સપા-બસપા પર પ્રહાર બસપા-એસપી સરકારો પર કટાક્ષ કરતા પીએમએ કહ્યું કે તેઓ યુપીને લૂંટતા થાકતા નથી અને અમે કામ કરતા થાકતા નથી. પીએમ મોદીએ (PM Modi) ઈશારામાં યોગી સરકારના વખાણ કર્યા. બુંદેલખંડના લોકોના હિજરતને રોકવાનું વચન આપતા પીએમ મોદીએ કહ્યું કે, સરકાર આ વિસ્તારને રોજગારમાં આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી રહી છે. ભાજપ સરકારના વિકાસ કાર્યોનો પુરાવો આપતા પીએમએ બુંદેલખંડ એક્સપ્રેસ વે અને યુપી ડિફેન્સ કોરિડોરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ કામો જોઈને વિકાસનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.
પરિવારવાદનો આરોપ પીએમ મોદીએ યુપીની પાછલી સરકારો પર પરિવારવાદનો આરોપ લગાવતા ખેડૂતો સાથે અત્યાચાર કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અગાઉની સરકારો ખેડૂતોને વંચિત રાખવા માગતી હતી. તેઓ ખેડૂતોના નામે જાહેરાતો કરતા હતા પરંતુ ખેડૂતો સુધી એક પૈસો પણ પહોંચી શક્યો નથી.
આ સાથે, ભાજપ સરકારની અગાઉની સરકારો સાથે સરખામણી કરતા પીએમએ કહ્યું કે ભાજપે કિસાન સન્માન નિધિ દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1 લાખ 62 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.
કેટલાક પક્ષો સમસ્યાઓનું રાજકારણ કરે છે અગાઉની સરકારો પર પ્રહાર કરતા પીએમ મોદી અહીં જ ન અટક્યા, તેમણે ત્યાં સુધી કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોનો આધાર હંમેશા ખેડૂતોને સમસ્યાઓમાં ફસાવવાનો રહ્યો છે. તેમણે નામ લીધા વિના SP-BSP અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પીએમએ કહ્યું કે આ પાર્ટીઓ સમસ્યાઓની રાજનીતિ કરે છે. પરંતુ ભાજપ ઉકેલની રાષ્ટ્રીય નીતિ કરે છે.
આ પણ વાંચો : તમિલનાડુમાં વરસાદે તબાહી મચાવી, ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા 4 બાળકો સહિત 9 લોકોનાં મોત
આ પણ વાંચો : PM મોદીએ ‘અર્જુન સહાયક પ્રોજેક્ટ’નું કર્યું ઉદ્ઘાટન, 4 લાખ લોકોને મળશે પાણી