CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલનું અકસ્માતમાં મોત, પત્નીની હાલત ગંભીર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું ગુરુવારે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
UP Government : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ના ઓએસડી મોતીલાલ સિંહનું ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માત (Road Accident)માં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેની પત્નીને પણ ગંભીર ઈજા થઈ હતી. ગોરખપુર-લખનૌ ફોર લેન પર બસ્તી જિલ્લાની ખજૌલી ચોકી પાસે ગઈકાલે રાત્રે અંદાજે એક વાગ્યે આ અકસ્માત થયો હતો. બંને સ્કોર્પિયો કારમાં ગોરખપુરથી લખનૌ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવર ઊંઘમાં હોવાને કારણે વાહન અચાનક બેકાબુ થઈ ગયું અને ઝાડ સાથે અથડાયું. મોતીલાલ સિંહની પત્નીને ગોરખનાથ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીના કાર્યાલય દ્વારા ટ્વિટમાં કરવામાં આવ્યું છે કે, ‘સીએમ યોગીએ માર્ગ અકસ્માતમાં ગોરખપુરના મુખ્યમંત્રી શિબિર કાર્યાલયના મોતીલાલ સિંહ જીના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના તેમજ પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મહારાજજીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
CM श्री @myogiadityanath जी महाराज ने मा. मुख्यमंत्री कैंप कार्यालय, गोरखपुर के श्री मोती लाल सिंह जी के सड़क दुर्घटना में दुःखद निधन पर शोक प्रकट किया है।
महाराज जी ने दिवंगत आत्मा की शांति की कामना करते हुए शोकाकुल परिजनों के प्रति अपनी संवेदनाएं व्यक्त की हैं।
ॐ शांति!
— Yogi Adityanath Office (@myogioffice) August 26, 2022
મોતીલાલ સિંહ આઝમગઢના રહેવાસી હતા
બુધનપુર આઝમગઢના રહેવાસી મોતીલાલ સિંહ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર હતા ત્યારે ગોરખનાથ મંદિર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંકળાયેલા હતા. મુખ્યપ્રધાને તેમની નિવૃત્તિ પછી 2017માં ગોરખનાથ મંદિરમાં સ્થપાયેલી મુખ્ય પ્રધાનની શિબિર કચેરીના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી તેમને સોંપી હતી. બાદમાં તેમને OSDનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. હાલમાં તેઓ યુનિવર્સિટી ચોક પાસેના સરકારી આવાસમાં રહેતા હતા.