Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત
જન આશીર્વાદ યાત્રાનો (Jan Aashirwad Yatra) મુખ્ય ઉદ્દેશ તેલંગણાના વિકાસ પર ભાજપના દ્રષ્ટિકોણનો પ્રચાર કરવાનો અને પાર્ટી કેડરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય ભાજપ આ યાત્રા દ્વારા સમગ્ર રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માંગે છે.
કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી આજથી તેલંગાણામાં ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન આજે 19 ઓગસ્ટના રોજ તેમણે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS) ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી “તમામને વેક્સિન ફ્રી વેક્સિન” ડ્રાઈવનું (Vaccination Drive) નિરીક્ષણ કર્યુ હતુ.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જી.કિશન રેડ્ડી (G. Kishan Reddy) આજથી તેમની ત્રણ દિવસીય જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.
Visited the vaccination centre at the Sri Venkateswara Institute of Medical Sciences Hospital (SVIMS) at Tirupati this morning, and took stock of the #SabkoVaccineMuftVaccine Drive, launched by Prime Minister Shri @NarendraModi.#LargestVaccineDrive#JanAshirwadYatra pic.twitter.com/MPuCv9lEeR
— G Kishan Reddy (@kishanreddybjp) August 19, 2021
તિરુપતિ પહોંચતા ભાજપના કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રીનું (Union Minister) ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રેડ્ડીએ ટ્વિટ કરીને લખ્યુ હતું કે, તિરુપતિમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) રેલીમાં ભાજપના અમારા કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વધુમાં લખ્યુ કે, ઉત્સાહી કાર્યકરો સાથે વાતચીત કરીને તેમણે શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.
तिरुपति की #JanAshirwadYatra रैली में @BJP4Andhra के हमारे कार्यकर्ताओं ने गर्मजोशी से स्वागत किया, जहां मैंने उनका अभिवादन किया और उत्साही कार्यकर्ताओं के साथ बातचीत की।
इसके उपरांत, एक जनसभा को संबोधित किया जिसमें हमारे समर्पित पार्टी कार्यकर्ताओं और नेताओं ने भाग लिया। pic.twitter.com/suk4bltuxV
— G Kishan Reddy (@kishanreddybjp) August 18, 2021
આ શહેરમાંથી નીકળશે જન આશીર્વાદ યાત્રા
મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીએ વિજયવાડા મંદિરોમાં (Vijayawada Temple) ભગવાન બાલાજી મંદિર અને કનક દુર્ગા મંદિરે વિશેષ પ્રાર્થના કરી હતી. આપને જણાવવુ રહ્યું કે, તેલંગણાના સૂર્ય અપેટ, તોરૂર, વર્ધનપેટ, હનામકોંડા, જનગાવ, પેમ્બર્થી, અલૈરથી હૈદરાબાદ સુધી આ જન આશીર્વાદ યાત્રા નીકળશે.
આ પણ વાંચો: ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી