‘છેલ્લા 20 વર્ષમાં ઘણા દેશોમાંથી પરત લાવવામાં આવી 107 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ’, સરકારે લોકસભામાં આપી માહિતી

યુએસએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત 157 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ સોંપી હતી. 157 પ્રાચીન વસ્તુઓમાંથી 63 પ્રાચીન વસ્તુઓનો પ્રથમ જથ્થો ભારતમાં પહોંચ્યો છે.

'છેલ્લા 20 વર્ષમાં ઘણા દેશોમાંથી પરત લાવવામાં આવી 107 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ', સરકારે લોકસભામાં આપી માહિતી
Union Minister G Kishan Reddy.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 10:42 PM

છેલ્લા 20 વર્ષમાં વિવિધ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ (Antique Items) પરત લાવવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે (Union Culture Ministry) સોમવારે લોકસભામાં (Lok Sabha) આ માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ (Artefacts) અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે.

કેન્દ્રીય પર્યટન, સંસ્કૃતિ અને પુર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડી (G Kishan Reddy) દ્વારા એક પ્રશ્નના જવાબમાં શેર કરેલા ડેટા અનુસાર 2001-2021 સુધીમાં અન્ય દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારતમાં પરત લાવવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે 2021માં મોટાભાગની પ્રાચીન વસ્તુઓ અમેરિકાથી પરત લાવવામાં આવી છે. આ વર્ષે ભારત દ્વારા અમેરિકા પાસેથી 63 વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

20 વર્ષમાં 107 પ્રાચીન વસ્તુઓ ભારતમાં પાછી લાવવામાં આવી

તેમણે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષો દરમિયાન અલગ-અલગ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારત પરત લાવવામાં આવી છે. જ્યારે 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે. રેડ્ડીએ લોકસભામાં કહ્યું કે અમેરિકા સિવાય એવા અન્ય દેશો છે જ્યાંથી પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે. તેમાં હોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, કેનેડા અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાથી 9 પ્રાચીન વસ્તુઓ લાવવામાં આવી

રેડ્ડીએ કહ્યું ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) એ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત 157 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ સોંપી હતી. 157 પ્રાચીન વસ્તુઓમાંથી 63 પ્રાચીન વસ્તુઓનો પ્રથમ જથ્થો ભારતમાં પહોંચ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી 9 પ્રાચીન વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

PM મોદી 157 પ્રાચીન વસ્તુઓ સાથે સ્વદેશ પરત ફર્યા હતા

ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 26 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા, ત્યારે તેઓ પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ લાવ્યા હતા. અમેરિકાએ વડાપ્રધાનને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14મી સદીની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો :  કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">