રાજસ્થાનના 3 જિલ્લામાં વધુ 24 કલાક ઈન્ટરનેટ બંધ, કાયદો- વ્યવસ્થા જાળવી રાખવા વધારવામાં આવ્યો પ્રતિબંધ

Udaipur Murder Case : ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હોય.

રાજસ્થાનના 3 જિલ્લામાં વધુ 24 કલાક ઈન્ટરનેટ બંધ, કાયદો- વ્યવસ્થા જાળવી રાખવા વધારવામાં આવ્યો પ્રતિબંધ
Udaipur Murder CaseImage Credit source: ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:32 PM

કન્હૈયાલાલ હત્યા કેસને કારણે રાજસ્થાન (Rajasthan)સહિત દેશના અનેક રાજ્યોમાં તણાવનો માહોલ છે. તે વચ્ચે ઉદયપુરમાં (Udaipur Murder Case) કન્હૈયાલાલની હત્યા બાદ બંધ કરવામાં આવેલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. રાજસ્થાનના 3 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. જયપુર, અલવર અને દૌસા જિલ્લામાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યાથી 2 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ માહિતી જયપુર ડિવિઝનલ કમિશનરે દ્વારા આપવામાં આવી છે.

ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હોય. કરૌલી અને જોધપુર રમખાણો વખતે પણ આવું જ કંઈક થયું હતું. પેપર લીક મામલે સરકારે ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. હવે ફરી એકવાર રાજ્યમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શાંતિ જાળવી રાખવા ઈન્ટરનેટ બંધ

પ્રશાસને માહોલ ન બગડે તે માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે ઉદયપુરમાં એક દરજીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના પુત્રએ નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું, ત્યારબાદ બે લોકો કપડાનું માપ આપવા માટે તેમની દુકાનમાં ઘૂસી ગયા અને અનેક મારામારી બાદ દરજી કન્હૈયાલાલની હત્યા કરી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

અન્ય બે આરોપીઓ કોર્ટમાં થશે હાજર

ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં વધુ 2 આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. રિયાઝ અને ગૌસ મોહમ્મદ પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. વધુ 2 આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. રાજસ્થાન ATS અને SOG દ્વારા નિવેદન આપવામાં આવ્યુ છે કે ધરપકડ કરાયેલા અન્ય 2 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસની તપાસ હાલ પ્રાથમિક તબક્કે છે. ઉદયપુરની ઘટનામાં આતંકવાદી સંગઠનની સંડોવણીની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જયપુર, દૌસા અને અલવર જિલ્લામાં 2 જુલાઈએ સાંજે 5.30 વાગ્યા સુધી ઈન્ટરનેટ પ્રતિબંધ ચાલુ રહેશે. કન્હૈયાલાલના પરિવાર સહિત અને સંગઠનોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">