આસામમાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, અલ-કાયદા અને એબીટી સાથે સંકળાયેલા 11ની ધરપકડ

આસામ પોલીસે (Assam Police) જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એક મુસ્તફા ઉર્ફે મુફ્તી મુસ્તફા મોરીગાંવ જિલ્લાના સહરિયા ગામનો રહેવાસી છે. મુસ્તફા અંસારુલ્લા બાંગ્લા ટીમનો સક્રિય સભ્ય છે, જે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે સંકળાયેલો છે.

આસામમાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, અલ-કાયદા અને એબીટી સાથે સંકળાયેલા 11ની ધરપકડ
Mufti Mustafa, Abbas Ali and Afsaruddin BhuyanImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:41 AM

આસામમાં અલ-કાયદા અને બાંગ્લાદેશ સ્થિત અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સહિત અનેક વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક મદરેસાના શિક્ષક હોવાનું કહેવાય છે. આસામના મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપારા જિલ્લામાંથી ગુરુવારે અટકાયત કરાયેલા 11 લોકોનો અલ-કાયદા અને અંસારુલ્લા બાંગ્લા ટીમ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે, એમ પોલીસે (Assam Police) જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે આ કેસમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની ધરપકડ પર સીએમ હિમંતા બિસ્વા સરમા(CM Himanta Biswa Sarma) કહ્યું કે આ લોકો પાસેથી ઘણી માહિતી મળી શકે છે.

સીએમ સરમાએ કહ્યું, ‘આસામના બારપેટા અને મોરીગાંવ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ લોકોની ધરપકડથી અમને વધુ માહિતી મળશે. આસામ પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એક મુસ્તફા ઉર્ફે મુફ્તી મુસ્તફા મોરીગાંવ જિલ્લાના સહરિયા ગામનો રહેવાસી છે. મુસ્તફા અંસારુલ્લા બાંગ્લા ટીમનો સક્રિય સભ્ય છે, જે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે સંકળાયેલો છે. તે ભારતમાં ABT ટેરર ​​મોડ્યુલનું આવશ્યક નાણાકીય સાધન છે.

મુસ્તફા સહરિયા ગામમાં મદરેસા ચલાવતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર મુસ્તફા સહરિયા ગામમાં એક મદરેસા, જેનું નામ જમીઉલ હુડા મદરેસા છે. તે ત્યાં શિક્ષક તરીકે ભણાવે છે. પોલીસે આ મદરેસાને સીલ કરી દીધું છે. કારણ કે આ મદરેસામાં અટકાયત કરાયેલા લોકો ત્યાં સુરક્ષિત રહેતા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું હતું કે મદરેસા ગેરકાયદેસર રીતે કમાયેલી આવક દ્વારા ચલાવવામાં આવી રહી હતી. મુસ્તફા ઉપરાંત પોલીસે મોરીગાંવમાંથી 39 વર્ષીય અફસરુદ્દીન ભુયાનની પણ ધરપકડ કરી છે. ગોલપારાના રહેવાસી 22 વર્ષીય અબ્બાસ અલીની પણ આસામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તેણે ફરાર થયેલા લોકોમાંથી એક મહેબૂબ રહેમાનને સામાનની અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ભૂતકાળમાં ઘણી ધરપકડો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “જેહાદી મોડ્યુલ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ શક્ય બન્યું છે. આસામમાં કેટલાક જેહાદી તત્વો છે જેઓ બાંગ્લાદેશના કટ્ટરપંથી જૂથો સાથે સંબંધ ધરાવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે રાજ્ય પડોશી બાંગ્લાદેશની નજીક આવેલું છે. જો કે, આ પહેલીવાર નથી કે આસામમાં બાંગ્લાદેશી લિંક ધરાવતા જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હોય. અગાઉ પણ માર્ચ અને એપ્રિલ મહિનામાં બારપેટામાંથી બાંગ્લાદેશી નાગરિક સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">