કેરળના બે મુસ્લિમ વિદ્યાર્થીએ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીતી, લોકોએ કર્યા વખાણ
આ સ્પર્ધાનું આયોજન અગ્રણી પ્રકાશક કંપની ડીસી બુક્સ દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જીત બાદ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.
બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ રામાયણ (Ramayana) પર ઓનલાઈન ક્વિઝ જીતી છે. કુલ પાંચ વિદ્યાર્થી (student)ઓમાંથી બે વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મલપ્પુરમના બે મુસ્લિમ વિદ્યાર્થીઓ મોહમ્મદ જબીર પીકે અને મોહમ્મદ બાસિથ એમ ઓનલાઈન રામાયણ ક્વિઝમાં ટોપ કર્યું. જેમાં 1000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તે બંને કેકેએચએમ ઇસ્લામિક અને આર્ટસ કોલેજ, વેલેનચેરીમાં વાફીનો કોર્સ કરી રહ્યાં છે. જીત બાદ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.
મુસ્લિમ યુવક મોહમ્મદ બાસિથ એમને રામાયણમાંથી તેની મનપસંદ ચોપાઈ વિશે પૂછવા આવ્યુ તો, તે તરત જ ‘અયોધ્યાકાંડ’ની ચોપાઈનું પુનરાવર્તન કરશે, જે લક્ષ્મણના ગુસ્સા અને ભગવાન રામ દ્વારા તેમના ભાઈને આપેલા આશ્વાસનનો સંદર્ભ આપે છે. આમાં ભગવાન રામ સામ્રાજ્ય અને સત્તાની નિરર્થકતા વિશે વિસ્તારથી સમજાવી રહ્યા છે
મોહમ્મદ બાસિથ આ ચોપાઇએ ન માત્ર મધુર રીતે રજુ કરી પરંતુ પવિત્ર પંક્તિઓના અર્થ અને સંદેશને પણ વિસ્તૃત રીતે સમજાવ્યો,’આધ્યાત્મ રામાયણ’ એ મહાકાવ્યનું મલયાલમ રૂપાંતર છે. જેને થુંચથુ રામાનુજન એઝુથાચને લખ્યુ છે. આ પ્રતિયોગિતાનું ઓનલાઇન આયોજન દિગ્ગજ પ્રકાશક કંપની ડીસી બુક્સે કર્યુ હતું.
પાંચ વિજેતાઓમાં નામ
ઉત્તરી કેરળ જિલ્લાના વાલાનચેરીમાં KKSM ઈસ્લામિક અને આર્ટસ કૉલેજમાં આઠ વર્ષના અભ્યાસક્રમ (વફી પ્રોગ્રામ)ના અનુક્રમે પાંચમા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ બસિથ અને જબીર ગયા મહિને યોજાયેલી ક્વિઝના પાંચ વિજેતાઓમાં હતા. રામાયણ ક્વિઝમાં ઇસ્લામિક કોલેજના વિદ્યાર્થીઓની જીતે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
બાળપણથી મહાકાવ્ય વિશે માહિતી
વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ નાનપણથી મહાકાવ્ય વિશે જાણતા હોવા છતાં, વાફી કોર્સમાં જોડાયા પછી તેઓએ રામાયણ અને હિન્દુ ધર્મ વિશે ઊંડાણપૂર્વક વાંચવાનું અને શીખવાનું શરૂ કર્યું, જેમાં તેના અભ્યાસક્રમમાં તમામ મુખ્ય ધર્મોના શિક્ષણ છે.
‘રામાયણ અને મહાભારતના મહાકાવ્ય દરેકે વાંચવું જોઈએ’
જબીરે કહ્યું, ‘તમામ ભારતીયોએ રામાયણ અને મહાભારતને વાંચવું અને શીખવું જોઈએ કારણ કે તે દેશની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનો ભાગ છે. હું માનું છું કે આ ગ્રંથોને શીખવાની અને સમજવાની જવાબદારી આપણી છે.
વિદ્યાર્થીઓએ કહ્યું, “રામે તેના પૂજ્ય પિતા દશરથને આપેલું વચન પૂરું કરવા માટે પોતાનું રાજ્ય છોડવું પડ્યું. સત્તા માટેના અનંત સંઘર્ષના સમયમાં જીવતા, આપણે રામ જેવા પાત્રો અને રામાયણ જેવા મહાકાવ્યોના સંદેશમાંથી પ્રેરણા લેવી જોઈએ.
બીજી બાજુ, બાસિથ કહે છે કે વ્યાપક વાંચન અન્ય ધર્મો અને આ સમુદાયોના લોકોને વધુ સમજવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે કોઈપણ ધર્મ નફરતને પ્રોત્સાહન આપતો નથી પરંતુ માત્ર શાંતિ અને સૌહાર્દનો પ્રચાર કરે છે. તેણે કહ્યું કે ક્વિઝ જીતવાથી તેને મહાકાવ્યને વધુ ઊંડાણથી શીખવાની પ્રેરણા મળી છે.