OMG : બે બાળકો રાતો-રાત બની ગયા કરોડપતિ, સચ્ચાઈ જાણીને તમે પણ ચોંકી જશો !
બિહારના બે બાળકોના ખાતામાં (Bank Account) 900 કરોડથી વધુ રૂપિયા આવી ગયા.જો કે બેંક ખાતાનું બેલેન્સ જોઈને પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા. જે બાદ મામલાની તપાસ કરવામાં આવી અને કંઈક આવુ કારણ બહાર આવ્યુ.
Bihar : બિહારના કટિહારમાં બે બાળકોના બેંક ખાતામાં અચાનક 900 કરોડ રૂપિયા જમા થતા બાળકોના પરિવાર સહિત સમગ્ર રાજ્યમાં હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે. બેંક ખાતામાં એન્ટ્રી (Bank Account) કરવા જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગુરુચંદ્ર વિશ્વાસ અને અસિત કુમારના વિદ્યાર્થી ખાતામાં 900 કરોડ રૂપિયાથી વધુ રકમ થઈ છે. જે બંને છોકરાઓ કટિહાર જિલ્લાના પાસ્તિયા ગામના રહેવાસી છે.
બિહારના બે બાળકોના બેંક ખાતામાં જમા થઈ અધધ…….રકમ
અહેવાલો અનુસાર આ બંને બાળકોના ખાતા ઉત્તર બિહાર ગ્રામીણ બેંકમાં (Bihar Gramin Bank) છે. તેઓ શાળાના ગણવેશ ખરીદવા અને સંબંધિત ખર્ચ માટે ચૂકવણી કરવા માટે સરકારી યોજના હેઠળ કેટલાક નાણાં સહાય માટે આ બેન્ક એકાઉન્ટ ખોલ્યુ હતુ. જેમાં વિદ્યાર્થી ગુરુચંદ્ર વિશ્વાસના (Guruchandra Vishwas) ખાતામાં 60 કરોડ રૂપિયાથી વધુ જમા કરાવવામાં આવ્યા છે, જ્યારે અસિત કુમારના ખાતામાં 900 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે. આ બેંક ખાતા ઉત્તર બિહાર ગ્રામીણ બેંકની ભેલાગંજ શાખાના છે.
બેંક મેનેજરે પૈસા ઉપાડવા પર મુક્યો પ્રતિબંધ
આ બાબતની જાણ થતાં બેંક મેનેજર મનોજ ગુપ્તા (Bank Manager) પણ આશ્ચર્ય પામ્યા હતા,તેમજ તેણે આ પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ બેંક દ્વારા બાળકોના માતા -પિતાની પૂછપરછ કરવામાં આવી , જો કે તેમાં કંઈ માહિતી સામે આવી નહોતી. હાલ, નાણાં મોકલનાર કોણ છે તે જાણવા માટે આ મામલાની તપાસ તેજ કરવામાં આવી છે.
આ ઘટના વિશે ક્લેક્ટરે આપી કંઈક આવી પ્રતિક્રિયા
બિહારના કટિહાર ના કલેક્ટરે (Collector) જણાવ્યુ હતુ કે, “આવો કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો નથી,પરંતુ સીબીએસની ગડબડને કારણે તેના ખાતામાં વધુ રકમ પૈસા દેખાઈ રહી છે.”
આ પહેલા પણ બન્યો હતો આવો બનાવ
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ખગરિયા જિલ્લામાં (Khagariya District)પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. રણજીત દાસ નામના શિક્ષકના બેંક ખાતામાં ભૂલથી 5.5 લાખ જમા થઈ ગયા હતા. જ્યારે રણજીત પાસે પૈસા માંગવામાં આવ્યા તો તેણે ના પાડી દીધી. તેમને નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે રકમ પરત કરવાનો ઇનકાર કર્યો હતો. રણજીતે કહ્યું કે પ્રધાનમંત્રીએ આ નાણા મોકલ્યા છે, તેથી તે પૈસા(Ammount) પરત કરશે નહિ.
આ પણ વાંચો: SCO Summit: PM MODI આજે એસસીઓ સમિટને સંબોધશે, અફઘાનિસ્તાન સંકટ પર પણ વાત થશે