પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ

પ્રખ્યાત પત્રકાર રોહિત સરદાનાનું આજે નિધન થયું. જે બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. મળેલી માહિતી અનુસાર તેઓ કોરોના સંક્રમિત હતા.

પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ
Rohit Sardana
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 3:12 PM

પ્રખ્યાત પત્રકાર રોહિત સરદાનાનું આજે નિધન થયું. જે બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. મળેલી માહિતી અનુસાર તેઓ કોરોના સંક્રમિત હતા અને આ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. કોરોના સંક્રમણના આ સમયમાં પણ તેઓ એક દિવસ પહેલા સુધી લોકોની મદદ માટે સક્રિય હતા. તેઓ કોરોનાથી પીડિત લોકોની સારવાર માટે સોશ્યલ મીડિયા પર સતત સક્રિય હતા, જેમાં રેમડેસિસવીર ઇન્જેક્શન, ઓક્સિજન, પથારી વગેરેને લઈને સૌને મદદ કરી રહ્યા હતા.

તેમના અવસાનના સમાચાર સાંભળીને મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણાં પત્રકારોએ તેમના નિધનનાં સમાચાર ટ્વીટ કર્યા છે. પત્રકારો ઉપરાંત પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મોદી સરકારમાં પ્રધાન સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસના મોટા મોટા નેતાઓએ પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને લખ્યું કે “રોહિત સરદાના જલ્દીથી આપણને છોડીને ચાલ્યા ગયા. એનર્જીથી ભરેલા, ભારતની પ્રગતિ પ્રત્યે ઉત્સાહી અને દયાળુ આત્મા રોહિતને સૌ યાદ કરશે. તેમના અકાળ અવસાનથી મીડિયા જગતમાં એક મોટી ખોટ ઉભી થઇ ગઈ છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

ગૃહ મંત્રી અમિત શાહે પણ શોકની લાહાની વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને રોહિત સરદાનાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પત્રકારના અવસાન પર યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો હતો.

દિલ્હી કોંગ્રેસના એકાઉન્ટ પરથી પણ રોહિત સરદાનાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સ્મૃતિ ઈરાનીએ પણ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અચાનક આવા માઠા સમાચારથી મીડિયા જગત અને સોશિયલ મીડિયામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો: અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર

આ પણ વાંચો: દેશની દીકરીને સલામ: કોરોનાએ ભરખી લીધા મા-બાપ અને ભાઈ, તોયે દર્દીઓના ઈલાજમાં લાગેલી છે આ ડોક્ટર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">