Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને કરાયો ઠાર

શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી સલીમ પર્રેને ઠાર માર્યો હતો. આ માહિતી આઈજીપી કાશ્મીર દ્વારા આપવામાં આવી છે.

Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને કરાયો ઠાર
LeT terrorist Salim Parray killed (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:48 PM

Srinagar Encounter સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) નેતા સલીમ પર્રે અને એક અન્યને ઠાર માર્યા છે. માર્યા ગયેલ આતંકી કાશ્મીરમાં નાગરિકોની હત્યા અને સુરક્ષા દળો પર હુમલાની અનેક ઘટનાઓમાં સંડોવાયેલ છે. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે (IGP Kashmir) કહ્યું કે સુરક્ષાદળના હાથે ઠાર મરાયેલ એક આતંકીની ઓળખ સલીમ પર્રે (Terrorist Salim Parray) તરીકેની થઈ છે. તે મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું કે મોસ્ટ વોન્ટેડ અને ખતરનાક આતંકવાદીની શોધ ઘણા દિવસોથી ચાલી રહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની દરેક યોજના ઉપર પાણી ફેરવી રહ્યા છે. અને તેમને ખતમ કરવા માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) ખતરનાક આતંકવાદી સલીમ પર્રેને ઠાર માર્યો હતો. આ માહિતી આઈજીપી કાશ્મીર (IGP Kashmir) દ્વારા આપવામાં આવી છે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

શુક્રવારે શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક 13 ડિસેમ્બરે જેવાન વિસ્તારમાં પોલીસ બસ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. ગયા વર્ષે, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 44 ટોચના આતંકવાદીઓ સહિત કુલ 182 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સિંહે માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ

ચીને ફરી ગાલવાન ખીણ પર કર્યો દાવો કર્યો, ચીની સૈનિકોએ ફરકાવ્યો ધ્વજ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘મોદીજી, મૌન તોડો’

આ પણ વાંચોઃ

આર્થિક રીતે નબળા વર્ગના અનામત માટે કુટુંબની આવક મર્યાદા રૂ. 8 લાખ રાખવાનો નિર્ણય, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી જાણકારી

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">