દેશનો પહેલો ટ્રાન્સજેન્ડર પાઈલટ હજુ પણ આકાશમાં ઉડાનને લઈને ચિંતિત, DGCAએ ફ્રેશ મેડિકલ ટેસ્ટ કરાવવાની આપી સલાહ
ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલોટ એડમ હેરીનું (Adam Harry) કહેવું છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પષ્ટ કર્યું છે કે હોર્મોનલ થેરાપી લેનાર વ્યક્તિને વિમાન ઉડાવવાની ડ્યુટી ન આપી શકાય.
ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલોટ એડમ હેરી (Transgender Pilot Adam Harry) દેશના ઉડ્ડયન નિયમનકાર (Aviation Regulator) તરફથી સ્પષ્ટતા મળવા છતાં વિમાન ઉડાવવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ચિંતિત છે. તેમનું કહેવું છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પષ્ટ કર્યું છે કે હોર્મોનલ થેરાપી લેનાર વ્યક્તિને વિમાન ઉડાવવાની ફરજ ન આપી શકાય. જ્યારે ડીજીસીએનું કહ્યું છે કે ટ્રાન્સજેન્ડર લોકોના પાઇલટ બનવા પર કોઈ પ્રતિબંધ નથી અને હેરીને કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મેળવવા માટે ફરીથી તબીબી તપાસ માટે અરજી કરવા કહ્યું છે.
પ્રાઇવેટ પાયલોટનું લાઇસન્સ પરંતુ DGCA ઉડાન ભરવાની પરવાનગી નથી આપી રહ્યું
હેરી પાસે ખાનગી પાઈલટનું લાઇસન્સ છે. તેમણે કહ્યું કે રેગ્યુલેટરી બોડીના આશ્વાસનજનક શબ્દો વિરોધાભાસી છે કારણ કે તે સ્પષ્ટ કરે છે કે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી લેનાર વ્યક્તિને વિમાન ઉડાડવાની મંજૂરી આપી શકાય નહીં. ડીજીસીએના અધિકારીઓએ તેને ઉડાન માટેનું લાઇસન્સ મેળવવા માટે હોર્મોનલ થેરાપી બંધ કરવા કહ્યું ત્યાર બાદ હેરીએ ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે દક્ષિણ આફ્રિકા જવાનું નક્કી કર્યું છે.
હેરી (23)એ પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર લોકોએ જીવનભર હોર્મોનલ થેરાપી લેવી પડે છે. તેઓ તેને કેવી રીતે રોકી શકે? અહીં ભારતમાં તેઓ ઇચ્છે છે કે હું લાઇસન્સ મેળવવા માટે હોર્મોનલ થેરાપી લેવાનું બંધ કરું અને આ એક કંટાળાજનક યુદ્ધ રહ્યું છે.
રાજીવ ગાંધી એકેડેમી ઓફ એવિએશન ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો
તેણે રાજ્ય સરકારની મદદથી 2019માં રાજીવ ગાંધી એકેડમી ઑફ એવિએશન ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ડીજીસીએ, તબીબી મૂલ્યાંકનની પ્રારંભિક સમીક્ષા દરમિયાન, તેને તબીબી પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો અને બાદમાં તેને આ આધાર પર તબીબી તપાસ માટે ફરીથી અરજી કરવાનું કહ્યું હતું. હેરીએ કહ્યું, મને ખુશી છે કે હવે DGCA એ કહ્યું છે કે ભારતમાં ટ્રાન્સજેન્ડર લોકો પર પાઈલટ બનવા પર કોઈ પ્રતિબંધ નથી. સારી વાત એ છે કે તેણે આ સત્તાવાર રીતે કહ્યું છે કારણ કે તેનાથી ટ્રાન્સજેન્ડર લોકોનું મનોબળ વધશે જેઓ તેમના સપના પૂરા કરવા માંગે છે.
જોકે, હેરીએ નિયમનકારના દાવાને ભ્રામક ગણાવ્યો હતો કે તેણે તેના વિદ્યાર્થી પાઇલટ લાયસન્સનો ઉપયોગ કરીને જરૂરી ઉડાનનો સમય પૂરો કર્યો ન હતો, જે કોમર્શિયલ પાઇલટના લાયસન્સ માટે જરૂરી છે. નોંધપાત્ર રીતે, એક પુરુષ તરીકે, હેરી ભારતમાં વાણિજ્યિક પાયલોટ તરીકે વિમાન ઉડાડવાની લડાઈ લડી રહ્યો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિંદુએ કહ્યું કે એડમ એ ત્રાસદીનો સામનો કરી રહ્યો છે કે, જ્યારે ટ્રાન્સજેન્ડર લોકોને મદદ કરવાની વાત આવે છે ત્યારે વર્તમાન સિસ્ટમ કેટલી અપૂરતી છે.