મોરબી પુલ દુર્ઘટના મુદ્દે PM મોદીને બદનામ કરવા બદલ TMC પ્રવક્તાની ગુજરાત પોલીસે કરી ધરપકડ

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના વ્યક્તિ ગણાતા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

મોરબી પુલ દુર્ઘટના મુદ્દે PM મોદીને બદનામ કરવા બદલ TMC પ્રવક્તાની ગુજરાત પોલીસે કરી ધરપકડ
Saket Gokhale, TMC spokesperson ( file photo)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 10:37 AM

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. સાકેત ગોખલે પર મોરબીની ઘટના અંગે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. સાકેત ગોખલેની ધરપકડ કરી હોવાની માહિતી રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી હતી. ઓ’બ્રાયને ટ્વીટ કર્યું કે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સોમવારે સાકેતે 9 વાગ્યે નવી દિલ્લીથી જયપુર જવા માટે ફ્લાઈટ પકડી હતી. જ્યારે સાકેત જયપુર ઉતર્યો ત્યારે ગુજરાત પોલીસ જયપુર એરપોર્ટ પર તેની રાહ જોઈને ઉભી હતી અને સાકેતની ધરપકડ કરવામાં આવી હતી.

ગોખલેનો ફોન અને સામાન જપ્ત

ઓ’બ્રાયનના જણાવ્યા મુજબ, સાકેતની ધરપકડ બાદ પોલીસે સાકેતને ધરપકડ અંગે જાણ કરવા માટે તક આપી હતી. સાકેતે મંગળવારે સવારે 2 વાગ્યે તેની માતાને ફોન કર્યો હતો અને કહ્યું કે ગુજરાત પોલીસ, તેને જયપુરથી અમદાવાદ લઈ જઈ રહી છે અને તે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેને માત્ર બે મિનિટ માટે પરિવારજનને ફોન કોલ કરવાની મંજૂરી આપી અને પછી સાકેતનો ફોન અને તેનો તમામ સર સામાન જપ્ત કરી લીધો છે.

PM મોદીને બદનામ કરવાનો આરોપ

1 ડિસેમ્બર, 2022 ના રોજ, TMC પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પુલ તૂટી પડવાની ઘટના પછી PM મોદીની ગુજરાતમાં મોરબી ખાતેની માત્ર થોડા કલાકો માટેની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કથિત અહેવાલને ટાંકીને ગોખલેએ દાવો કર્યો હતો કે રૂ. 5.5 કરોડ માત્ર રિસેપ્શન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવથી વધુ છે. કારણ કે દુર્ઘટનાનો ભોગ બનેલા 135 લોકોના પરિવારને માત્ર 4 – 4 લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવ્યા હતા.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ગુજરાત ભાજપે ફેક ન્યૂઝ ગણાવ્યા

જો કે, ગુજરાત ભાજપે ગોખલેના ટ્વીટ પર આપવામાં આવેલી માહિતીને ફેક ન્યૂઝ ગણાવી હતી. ગુજરાત ભાજપે કહ્યું કે આવી કોઈ RTI ફાઈલ કરવામાં આવી નથી કે કોઈ RTIનો આવો કોઈ જવાબ આપવામાં આવ્યો. બીજેપી ગુજરાતે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે આ આખી ક્લિપિંગ બનાવટી છે, અને હકીકતમાં આવો કોઈ અહેવાલ ક્યાંય પ્રકાશિત પણ થયો નથી.

પુલ દુર્ઘટનામાં 135 લોકોના થયા હતા મૃત્યું

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મોરબી શહેરમાં પુલ ધરાશાયી થવાને કારણે 55 બાળકો સહિત કુલ 135 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 100 લોકો એકલા મોરબી જિલ્લાના રહેવાસી હતા.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">