PM મોદી એક જ દિવસમાં 3 રાજ્યોની મુલાકાત લેશે, થોડીવારમાં અરુણાચલમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લીધા બાદ PM MODI ગુજરાત જશે, જ્યાં બે અઠવાડિયામાં ચૂંટણી થવાની છે. ગુજરાત પહોંચીને પીએમ વલસાડમાં રેલીને સંબોધશે.

PM મોદી એક જ દિવસમાં 3 રાજ્યોની મુલાકાત લેશે, થોડીવારમાં અરુણાચલમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
71 thousand youths will get jobs today, PM will initiate 'Karmayogi Prashar' (File) Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 10:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાતે જવાના છે. આજે તેઓ અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના પ્રવાસે જશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી પહેલા અરુણાચલ પ્રદેશ જશે. અહીં તેઓ ઇટાનગરમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ‘ડોની પોલો’નું ઉદ્ઘાટન કરશે. જ્યારે આ પછી તે ઉત્તર પ્રદેશના વારાણસી જશે, જ્યાં તે એક મહિના સુધી ચાલનારા ‘કાશી તમિલ સંગમમ’ને ફ્લેગ ઓફ કરશે. વારાણસીથી પરત ફર્યા બાદ વડાપ્રધાન શનિવારે સાંજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેશે. અહીં વલસાડમાં તેઓ જનસભાને સંબોધશે.

અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ‘ડોની પોલો’ હોલોંગી ખાતે આવેલું છે. તેની કામગીરી બાદ રાજ્યમાં કનેક્ટિવિટી, વેપાર અને પ્રવાસનને ઝડપી વેગ મળશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી આજે સવારે 9:30 વાગ્યે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે ‘ડોની પોલો’ એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 645 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.

વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’નું ઉદ્ઘાટન

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તેમણે કહ્યું કે તેમાં આઠ ‘ચેક-ઇન કાઉન્ટર’ હશે અને પીક અવર્સ દરમિયાન 200 મુસાફરોને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવશે. દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કોઈ એરપોર્ટ નથી. સૌથી નજીકની સુવિધા લીલાબારી એરપોર્ટ પર છે, જે આસામના ઉત્તર લખીમપુર જિલ્લામાં 80 કિમી દૂર છે. PM મોદી આજે લગભગ 2 વાગ્યે વારાણસી આવશે અને એક મહિના સુધી ચાલનારા ‘કાશી તમિલ સંગમમ’નું ઉદ્ઘાટન કરશે. વારાણસી (કાશી)માં 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન ‘કાશી તમિલ સંગમ’નું આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય દેશના બે સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન જ્ઞાન કેન્દ્રો – તમિલનાડુ અને કાશી વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી શોધવા અને તેની ઉજવણી કરવાનો છે.

ગુજરાતમાં જાહેરસભાને સંબોધશે

અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ગુજરાત જશે, જ્યાં બે અઠવાડિયામાં ચૂંટણી થવાની છે. ગુજરાત પહોંચીને પીએમ વલસાડમાં રેલીને સંબોધશે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. જ્યારે બીજા અને અંતિમ તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. તે જ સમયે, મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">