દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી, 3ના મોત અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ
દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે.
દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે. તેવામાં દિલ્લીથી મજૂરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માત બાદ ઘટના સ્થળેથી વિચલીત કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મજૂરો બારીમાંથી બહાર નિકળવાના પ્રયત્નો કરવા લાગ્યા. સમગ્ર ઘટનામાં બે મજૂરોના મોત થઈ ચૂક્યા છે તો એકનું સારવાર દરમિયાન મોત થયુ છે.
Madhya Pradesh: Three people died after a bus carrying migrants to Chhatarpur and Tikamgarh from Delhi, overturned in Jorasi of Gwalior district. Details awaited. pic.twitter.com/HPUc6y2po0
— ANI (@ANI) April 20, 2021
આ ઘટનામાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોની સારવાર ગ્વાલિયરના જયારોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ બસ ઓવર લોડ હતી, જેને કારણે તે અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ. બસ પલટી મારવાના કારણે બસની નીચે ઘણા બધા મજૂરો દબાઈ ગયા. પ્રશાસનની ટીમે તરત ઘટના સ્થળે પહોંચીને લોકોને રેસ્ક્યૂ કર્યા અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.
આ બસ દિલ્લીથી ટિમકગઢ જઈ રહી હતી. જેમાં મોટાભાગના મજૂર છતરપુર અને દમોહના હતા. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો દિલ્લીમાં મજૂરી કામ કરતા હતા અને લૉકડાઉનના સમાચાર મળતાં જ પોતાના વતન જવા માટે રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર પાંચ લોકોની હાલત હાલ નાજૂક છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મુસાફરોએ જણાવ્યુ કે તેઓ લૉકડાઉનના કારણે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.