2019ની ચૂંટણીમાં આ પહેલુ રાજ્ય છે કે જેના 168 બૂથ પર ફરી મતદાન યોજાશે, તમામ તૈયારીઓ માટે આદેશ આપી દેવાયા
ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગ ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગના આદેશ આપી દેવાયા છે. ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે. […]
ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગ
ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગના આદેશ આપી દેવાયા છે. ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે. 11 એપ્રિલે મતદાન દરમિયાન કેટલાક પક્ષોએ હિંસા અને દોષારોપણનો આરોપ મૂક્યો હતો.
જેને લઈ ચૂંટણી પંચે ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને તેના સુપરવાઇઝરોના અહેવાલ આધારીત આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પત્ર લખીને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતી આપી. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રિપુરાના 29 વિધાનસભા મતવિસ્તારમાં 168 મતદાન બૂથ પર મતદાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 12મી મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે 11 એપ્રિલના રોજ ચૂંટણી દરમિયાન, હિંસાની અનેક ઘટના સામે આવી હતી. જેને લઈને MACCએ ECને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એવુ કહેવાયું છે કે ભાજપ દ્વારા હિંસાને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપે આ આરોપને ફગાવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]