EMIને લઈ RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં ઘટાડાની કરી જાહેરાત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ કરી. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત RBI ગર્વનર કોરોના વાઈરસના સંકટકાળમાં આર્થિક ઉપાયો વિશે જણાવી રહ્યા છે. આ પહેલા તેમને 27 માર્ચ અને 17 એપ્રિલે પત્રકાર પરિષદ કરી હતી. તેમને જણાવ્યું કે દેશમાં જ નહીં સમગ્ર દુનિયામાં અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. દુનિયામાં અર્થવ્યવસ્થાની ગતિવિધીઓ રોકાઈ […]
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ કરી. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત RBI ગર્વનર કોરોના વાઈરસના સંકટકાળમાં આર્થિક ઉપાયો વિશે જણાવી રહ્યા છે. આ પહેલા તેમને 27 માર્ચ અને 17 એપ્રિલે પત્રકાર પરિષદ કરી હતી. તેમને જણાવ્યું કે દેશમાં જ નહીં સમગ્ર દુનિયામાં અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. દુનિયામાં અર્થવ્યવસ્થાની ગતિવિધીઓ રોકાઈ ગઈ છે. ભારતની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
RBIએ રેપોરેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટ ઘટીને 3.35 ટકા થયો છે. RBI સતત સ્થિતી પર નજર રાખી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. MPCએ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો