ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ મંદિરના દ્વાર, આ રીતે પોંહચી શકો છો બદ્રીનાથ
આજે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. મંદિરને ફુલો દ્વારા સજાવવામાં આવ્યુ હતું. વૈદિક મંત્રોચારની સાથે પૂજાપાઠ કરવામાં આવ્યા હતા અને સવારે લગભગ 4.30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]
આજે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. મંદિરને ફુલો દ્વારા સજાવવામાં આવ્યુ હતું.
વૈદિક મંત્રોચારની સાથે પૂજાપાઠ કરવામાં આવ્યા હતા અને સવારે લગભગ 4.30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા.
ગયા વર્ષે 20 નવેમ્બરે બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. શિયાળા દરમિયાન ભારે બરફ પડવાને લીધે અને ઠંડીના કારણે બદ્રીનાથ મંદિર સહીત હિમાલય ક્ષેત્ર સ્થિત ચાર ધામોના કપાટ દર વર્ષે ઓકટબોર-નવેમ્બરમાં ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવે છે. જે 6 મહિના પછી એપ્રિલ-મે મહિનામાં ખુલે છે.
આ પણ વાંચો: છઠ્ઠા તબક્કાની કુલ 59 સીટ પર આજે પ્રચાર થશે બંધ, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા છે દાવ પર
આ રીતે જઈ શકો છો બદ્રીનાથ
બદ્રીનાથ પોંહચવા માટે તમે દેશના કોઈ પણ વિસ્તારમાંથી પહેલા રૂષિકેશ સુધીની મુસાફરી રેલવે દ્વારા અથવા તો ગાડીમાં કરી શકો છો. પ્લેન દ્વારા તમે આવો તો નજીકનું એરપોર્ટ દેહરાદૂન એરપોર્ટ પર તમે જઈ શકો છે. ત્યારબાદ ઉત્તરાખંડ સ્થિત શ્રીનગર થઈને રૂદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, જોશી મઠ ધામની યાત્રા કરીને બદ્રીનાથ ધામ પોંહચી શકો છો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]