Naxal Attack: ગુમ થયેલા કોબ્રા કમાન્ડોનો પહેલો ફોટો સામે આવ્યો, નક્સલવાદીઓએ પત્રકારને મોકલી આ તસ્વીર
શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થયા બાદ ગુમ થયેલા કોબ્રા કમાન્ડર રાકેશ્વર સિંહનો પહેલો ફોટો સામે આવ્યો છે. નક્સલીઓએ ફોટો મોકલીને તેમણે છોડવા માટે કેટલીક શરતો રાખી છે.
શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થયા બાદ ગુમ થયેલા કોબ્રા કમાન્ડર રાકેશ્વર સિંહનો પહેલો ફોટો સામે આવ્યો છે. નકસલવાદીઓએ આ તસવીર જાતે બીજપુરના પત્રકાર ગણેશ મિશ્રાને મોકલી છે. નક્સલવાદીઓએ પત્રકારને ફોન કરીને કમાન્ડોની સલામતી સાથે તેમણે છોડવાની શરતો અંગે જણાવ્યું હતું.
એક ખાનગી સમાચાર સંસ્થા સાથે ઓનલાઈન વાતચીતમાં ખુદ પત્રકાર ગણેશ મિશ્રાએ તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બુધવારે સવારે તેમને નક્સલવાદીઓનો ફોન આવ્યો હતો. નકસલવાદીઓએ તેમને કહ્યું કે રાકેશ્વરસિંહ તેમના કબજામાં સલામત છે. નક્સલવાદીઓએ પુરાવા માટે તેમને રાકેશ્વરસિંહની તસવીર પણ મોકલી હતી જેમાં તેઓ તેમના છાવણીમાં બેઠા જોવા મળે છે.
ગુમ થયા પછી રાકેશ્વરસિંહનો આ પહેલો ફોટો છે. નક્સલવાદીઓએ ગણેશ મિશ્રાને કહ્યું હતું કે સરકાર મધ્યસ્થીઓને તેમની સાથે વાટાઘાટ કરવા મોકલે છે, તો જ કમાન્ડોને મુક્ત કરવામાં આવશે.
નક્સલીઓએ સોમવારે દાવો કર્યો હતો કે ગુમ થયેલ જવાન તેમના કબજામાં છે. આ પછી તેમણે ફરીથી મંગળવારે એક પ્રેસ નોટ જારી કરીને આ જ દાવો કર્યો હતો. હવે તેમણે કમાન્ડોનો પહેલો ફોટો મોકલ્યો છે. પ્રેસ નોટમાં, નક્સલવાદીઓએ સરકારને કમાન્ડોની છૂટા થતાં પહેલા મધ્યસ્થીની નિમણૂક કરવાની માંગ કરી હતી. તેમણે બુધવારે પત્રકારને બોલાવીને આ માંગને પુનરાવર્તિત કરી હતી.
ગુમ થયેલા કમાન્ડોના પરિવારના લોકોએ પણ સરકારને તેમની મુક્તિ માટે શક્ય તેટલું બધું કરવા અપીલ પણ કરી છે. જમ્મુના વતની રાજેશ્વરસિંહની પત્નીએ અપીલ કરી હતી કે સરકારે નક્સલવાદીઓની માંગ પૂરી કરીને તેમના પતિની સલામત છૂટની ખાતરી આપવી જોઈએ.
જોકે, સુરક્ષા એજન્સીઓ નક્સલવાદીઓના દાવા પર આધાર રાખી રહી ન હતી. તેઓ તેના દાવાની સત્યતાની તપાસ કરી રહી હતી. એક દિવસ અગાઉ આઇજીએ કમાન્ડોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવાની વાત પણ કરી હતી.