Char Dham Yatra 2022 : વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, બે વર્ષ બાદ ભક્તો માટે ખુલ્યાં કપાટ, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મંદિર

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ દરવાજા ખોલવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર ધામ યાત્રા નિમિત્તે કેદારનાથ મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

Char Dham Yatra 2022 : વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, બે વર્ષ બાદ ભક્તો માટે ખુલ્યાં કપાટ, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મંદિર
Kedarnath Dham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 7:33 AM

ઉત્તરાખંડમાં (Uttarakhand) વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ દરવાજા ખોલવાના પરંપરાગત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર ધામ યાત્રાના (Char Dham Yatra) અવસર પર કેદારનાથ મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 6.26 કલાકે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદારનાથ બાબાના ભક્તો કેદાર ધામમાં તેમના દર્શન અને પૂજા કરી શકશે. આ પહેલા ગુરુવારે ભગવાન કેદારની પંચમુખી ડોળી ભક્તોના જયઘોષ સાથે કેદારધામમાં પહોંચી હતી.

અહીં મંદિર પાસે બાબાની ડોળી મૂકવામાં આવી હતી. દરવાજા ખોલ્યા બાદ બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં બિરાજમાન થઈ. બાબા કેદારનાથના ચાદર વિધિ અને ધાર્મિક પરંપરાઓ સાથે ખોલવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. તો બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ભગવાનની પ્રાર્થના કરી અને બાબા કેદારના આશીર્વાદ લીધા.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પૂજા, મંત્રોચ્ચારથી દરવાજા ખોલવામાં આવ્યા

મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબા કેદારના ઉત્સવ ડોળીની સેવા અને પૂજા કરવામાં આવી હતી. આ પછી ડોળીને શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હકુકધારીઓની હાજરીમાં વૈદિક પરંપરાઓ અનુસાર મંત્રોચ્ચાર કર્યા અને શુભ સમયે દરવાજા ખોલવામાં આવ્યા અને ડોળીને મંદિરમાં દાખલ કરવામાં આવી.

PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ

માહિતી અનુસાર કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂન સુધીના PMOને એક સંકલિત નેટવર્કથી જોડવામાં આવી રહ્યું છે અને આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કેદારનાથ યાત્રાને વડાપ્રધાન કાર્યાલયથી લાઈવ જોઈ શકાશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની ઓફિસથી બાબા કેદારની મુલાકાત લઈ શકશે અને યાત્રાને પણ જોઈ શકશે. NICએ યાત્રાના જીવંત પ્રસારણ અને દેખરેખ માટે કેદારનાથથી સોનપ્રયાગ વચ્ચે 10 હાઈ ફ્રિકવન્સી કેમેરા લગાવ્યા છે અને આ કેમેરા દ્વારા 17 કિમી પગપાળા માર્ગના દરેક ભાગ પર નજર રાખી શકાય છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">