MSP ગેરંટી અંગે ખેડૂત સંગઠનોની બેઠકમાં લેવાયો નિર્ણય, આંદોલન પહેલા સરકાર અને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે

ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરી દીધા હતા. જે બાદ 14 મહિનાથી ચાલેલા ખેડૂત વિરોધનો પણ અંત આવ્યો હતો, પરંતુ ખેડૂતોના સંગઠનો તરફથી MSP ગેરંટી કાયદો બનાવવાની માગ હજુ પણ ચાલુ છે.

MSP ગેરંટી અંગે ખેડૂત સંગઠનોની બેઠકમાં લેવાયો નિર્ણય, આંદોલન પહેલા સરકાર અને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે
Farmers Protest - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 9:32 PM

કેન્દ્ર સરકારે 2020માં 3 નવા કૃષિ કાયદા (New Agriculture Law) લાગુ કર્યા હતા. આ પછી દેશમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું. આ સાથે, ફરી એકવાર દેશમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવની (MSP) ખાતરી આપવા માટે કાયદો બનાવવાની માગ તેજ થઈ ગઈ છે. જો કે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરી દીધા હતા. જે બાદ 14 મહિનાથી ચાલેલા ખેડૂત વિરોધનો પણ અંત આવ્યો હતો, પરંતુ ખેડૂતોના સંગઠનો તરફથી MSP ગેરંટી કાયદો બનાવવાની માગ હજુ પણ ચાલુ છે. આ સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂત સંગઠનોની એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે MSP ગેરંટી કાયદા પર કોઈપણ પ્રકારના આંદોલન કરતા પહેલા ખેડૂત સંગઠનો ખેડૂતો અને દેશની સરકારને MSP અંગે વાકેફ કરશે.

MSP ગેરંટી કિસાન મોરચાની રચના

MSP ગેરંટી અંગે રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંગઠનના વડા સરદાર વીએમ સિંહની આગેવાની હેઠળ ND તિવારી ઓડિટોરિયમ, ITO, દિલ્હીમાં મંગળવારે એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતાં સરદાર વીએમ સિંહે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ માટે MSP ગેરંટી કિસાન મોરચાની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તે જ સમયે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મુદ્દે કોઈપણ પ્રકારના આંદોલન પહેલા પ્રચાર અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવશે.

આંદોલન અંગે ઓક્ટોબરમાં નિર્ણય લેવામાં આવશે

સરદાર વીએમ સિંહે કહ્યું કે મંગળવારે યોજાયેલી બેઠકમાં 20 રાજ્યોની અંદર ટીમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પોતપોતાના રાજ્યોમાં MSP અંગે પ્રચાર અને જાગૃતિ અભિયાનની કમાન સંભાળશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તેમણે કહ્યું કે આ પછી મે મહિનામાં આ તમામ સંયોજકો સાથે બેઠક યોજવામાં આવશે. જે બાદ 6 થી 8 ઓક્ટોબર દરમિયાન દિલ્હીના કાંઝાવાલામાં મોરચાની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરમાંથી ખેડૂતો હાજર રહેશે. જો આ બેઠકમાં MSPને લઈને કોઈપણ પ્રકારના આંદોલનની જરૂર પડશે તો બેઠકમાં આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : West Bengal: બંગાળમાં ફરી હંગામો, TMC નેતાની હત્યા બાદ 40 ઘરો સળગાવામાં આવ્યા, 10 લોકોનો મોત

આ પણ વાંચો : નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું- ભારતના રસ્તા અમેરિકા જેવા હશે, દિલ્હીથી મુંબઈની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ થશે

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">