કોંગ્રેસે નીતિશને બિનશરતી સમર્થન જાહેર કર્યું, પરંતુ ભાજપનું સમર્થન છોડવું પડશેની મુકી શરત

કોંગ્રેસે નીતિશ કુમાર(Nitish Kumar)ને શરત સાથે સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે (Congress)કહ્યું છે કે નીતીશ કુમાર પહેલા ભાજપ છોડશે પછી સમર્થન કરશે

કોંગ્રેસે નીતિશને બિનશરતી સમર્થન જાહેર કર્યું, પરંતુ ભાજપનું સમર્થન છોડવું પડશેની મુકી શરત
Congress's support to Nitish
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 7:05 AM

કોંગ્રેસ(Congress) પાર્ટીએ નીતિશ કુમાર(Nitish Kumar)ને સમર્થન જાહેર કર્યું છે. પરંતુ આ માટે કોંગ્રેસે નીતિશ કુમાર સામે એક શરત પણ રાખી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે જો નીતિશ કુમાર ભાજપ(BJP) છોડશે તો તેમને અમારું સમર્થન મળશે. મોડી સાંજે પટનામાં યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ પાર્ટીએ જેડીયુને સમર્થન આપવાની જાહેરાત કરતા આ વાત કહી. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયુને કોઈપણ શરત વગર સમર્થન આપશે. આ સાથે જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સજ્જ રહેવા માટે કહ્યુ છે.

બિહાર કોંગ્રેસ ધારાસભ્ય દળનો અભિપ્રાય વિભાજિત છે. તેમનું કહેવું છે કે આ બેઠક સત્તાવાર ન હતી. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો પ્રભારી ભક્ત ચરણ દાસને મળવા ગયા હતા. તાજેતરની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. હકીકતમાં, બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે મળીને મહાગઠબંધનની સરકાર બનાવવાની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર ભાજપથી નારાજ છે. આ જ કારણ છે કે તેઓ રવિવારે નીતિ આયોગની બેઠકમાં પણ ગયા ન હતા. સોમવારે, તેમના ફરી એકવાર પક્ષ બદલવા અને મહાગઠબંધન સાથે આવવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

ડાબેરી પક્ષ પણ સમર્થનમાં છે

એનડીએથી અલગ થવાની ચર્ચા વચ્ચે ડાબેરી પક્ષોએ પણ નીતિશ કુમારને સમર્થન આપવાની વાત કરી છે. CPI(ML)ના રાષ્ટ્રીય મહાસચિવ દિપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું છે કે નીતિશ કુમારે પહેલા ભાજપ છોડીને NDAમાંથી બહાર આવવું જોઈએ. તે પછી અમે તેમને બિનશરતી સમર્થન આપીશું. દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે માત્ર CPI(ML) જ નહીં પરંતુ અન્ય ડાબેરી પક્ષો પણ તેમને બિનશરતી સમર્થન આપશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

આરજેડી સાથે પણ વાત થઈ ગઈ!

તો સાથે જ એ વાત પણ સામે આવી રહી છે કે આરજેડી અને નીતિશ કુમાર પણ બિહારમાં સરકાર બનાવવા માટે રાજી થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ આ અંગે ત્રણ વખત મળ્યા છે. જે બાદ સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર સર્વસંમતિ સધાઈ છે. જો કે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે નીતિશ કુમારને આરજેડીના સમર્થનનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે અમારી પાસે આવવાને બદલે નીતીશ કુમારે જનતાની વચ્ચે જવું જોઈએ.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">