ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ત્રીજી વખત લંડનની કોર્ટે નામંજૂર કરી, 30મે સુધી જેલમાં જ રહેવું પડશે
ભારતની બેંકોના કરોડો રુપિયા લઈને ફરાર થઈ જનારા નીરવ મોદીની જમાનત અરજી કોર્ટે ફગાવી દીધી છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે આ ત્રીજી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે. નીરવ મોદીની ધરપકડ 19 માર્ચના રોજ કરાઈ હતી અને ત્યારબાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ત્રીજી વખત કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજૂર થવાથી હવે […]
ભારતની બેંકોના કરોડો રુપિયા લઈને ફરાર થઈ જનારા નીરવ મોદીની જમાનત અરજી કોર્ટે ફગાવી દીધી છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે આ ત્રીજી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે.
નીરવ મોદીની ધરપકડ 19 માર્ચના રોજ કરાઈ હતી અને ત્યારબાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ત્રીજી વખત કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજૂર થવાથી હવે તેને 30મે સુધી તો જેલમાં જ રહેવું પડશે. પંજાબ નેશનલ બેંક સાથે ફ્રોડ કરવાના આરોપી તથા હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ જોર લગાવી રહી છે. નીરવ મોદીએ લંડનની કોર્ટમાં ત્રીજી વખત જામીન મંજૂર કરવા અરજી કરી હતી પણ તેને કોર્ટે નામંજૂર કરી દીધી છે. આ મામલાની સુનાવણી 28 દિવસોમાં કરવામાં આવશે. 30 મેના રોજ નીરવ મોદીએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
બેંકના 13 હજાર કરોડ લઈને ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને ભારતની એજન્સીઓને સફળતા મળી રહી છે. નીરવ મોદી ફરાર થઈ જશે તેવી આશંકા પણ કોર્ટમાં વ્યક્ત કરવામાં આવી હતી. આમ સુનાવણી સુધી હવે નીરવ મોદીને જેલમાં જ રાખવામાં આવશે.
આ પણ વાંચો: 108 એમ્બ્યૂલન્સ સેવા હવે થશે અદ્યતન, ઈમરજન્સીમાં દર્દીએ એડ્રેસ લખાવવાની પણ નહીં પડે જરુર
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]