Jammu and Kashmirમાં ફરીથી આતંકી હુમલો, શ્રીનગરની હરિસિંહ હાઈ સ્ટ્રીટ પર ગ્રેનેડ ફેંક્યો
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓનો ખાત્મો કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) આતંકવાદીઓ રોજ કોઇ નવું કાવતરુ રચી રહ્યા છે. શ્રીનગરના હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર આતંકવાદીઓ દ્વારા મંગળવારે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ નજીકની દુકાનો અને શોરૂમની બારીઓ તૂટી ગઈ હોવાનું જણાય છે.
આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓનો ખાત્મો કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.
Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar
Details awaited. pic.twitter.com/ioU2AQABgh
— ANI (@ANI) January 25, 2022
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકવાદીઓના આવા નાપાક ષડયંત્ર સતત વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ, આતંકવાદીઓએ જૂના શ્રીનગર શહેરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સરાફ કદલ વિસ્તારમાં તૈનાત પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો.
મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અનેક સ્તરે અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA, ED, CBI, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને તોડી પાડવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગ સામેની કાર્યવાહીમાં સામેલ છે.
આ પણ વાંચો –
Freebies: રાજ્યની આવક કરતા દસ ગણા ચૂંટણી વાયદાઓ ! અરજી બાદ Supreme Courtની ચૂંટણી પંચ, કેન્દ્રને નોટિસ
આ પણ વાંચો –
Republic Day 2022 : ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્લી પોલીસે ગોઠવી ખાસ સુરક્ષા વ્યવસ્થા, હોટસ્પોટ ઉપર લગાવ્યા FRS કેમેરા
આ પણ વાંચો –