શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદીઓએ કર્યો હુમલો, 2 પોલીસકર્મીઓ ઘાયલ
છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળો આતંકવાદીઓની નાબૂદી માટે અભિયાન ચલાવી રહ્યા છે. જેને કારણે આતંકીઓનો ગુસ્સો હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે. શ્રીનગર જિલ્લાના બાગત બારઝુલ્લા વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો.
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર જિલ્લાના બાગત બારઝુલ્લા વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 2 પોલીસ જવાન ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ આ વિસ્તારને પણ ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળો આતંકવાદીઓની નાબૂદી માટે અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે આતંકીઓનો ગુસ્સો વધી રહ્યો છે અને એની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પરિણામે તેઓ હવે જાહેરમાં પોલીસ ઉપરહુમલો કરી રહ્યા છે. આ હુમલા બાદથી સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સાથે જ આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક આતંકી ભાગતો નજરે પડે છે.
Terrorist opens fire in Baghat Barzulla of #Srinagar district in #Kashmir today. pic.twitter.com/uO4WKiALYG
— tv9gujarati (@tv9gujarati) February 19, 2021
આ અગાઉ શોપિયાંના Badigam ખાતે રાતોરાત એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર શોપિયાંના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. કાશ્મીર ઝોનની પોલીસના જણાવ્યા અનુસાર સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા આતંકવાદીઓ સામે આ કાર્યવાહી કરી હતી.
Terrorists attacked a police party in Barzulla area of district Srinagar. In this terror incident, 2 policemen got injured. They have been shifted to a hospital for treatment. Area cordoned off. Further details shall follow: Kashmir Zone Police https://t.co/3xi0jhbXoc
— ANI (@ANI) February 19, 2021
વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓ સાથે હથિયારો અને દારૂગોળો જપ્ત કયો છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવ્યા હોવાની જાણકારી મળી હતી. બાદમાં સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આતંકવાદી તરફથી થયેલી ફાયરીંગ બાદ અહીં અથડામણ શરુ થઈ હતી.