Bandipora terrorist attack : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં પોલીસ પર આતંકવાદીઓનો હુમલો, બે પોલીસકર્મીઓ શહીદ

આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.

Bandipora terrorist attack : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં પોલીસ પર આતંકવાદીઓનો હુમલો, બે પોલીસકર્મીઓ શહીદ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:13 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) બાંદીપોરામાં (Bandipora) પોલીસ પર આતંકવાદી હુમલામાં (Terrorist attacks) બે પોલીસકર્મીઓના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોક ખાતે આતંકવાદીઓએ પોલીસ (police ) ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓના મોત થયા છે.

બાંદીપોરામાં ગુલશન ચોક (Gulshan Chowk) પાસે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ પછી ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. પોલીસ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બે જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. આતંકીઓને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું અભિયાન તેજ કર્યું છે. જેના કારણે આતંકીઓ હવે ઓચિંતો હુમલો કરીને સૈનિકો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓ દ્વારા આતંકવાદીઓની નિરાશા દેખાઈ રહી છે. જોકે, ભારતીય સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 1,033 આતંકી હુમલા

તાજેતરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી 2019માં સૌથી વધુ 594 બનાવો નોંધાયા હતા. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ

પરંપરાગત ખેતીના અનુભવ અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે : મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ

Human Rights Day: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો ભારતમાં નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારો વિશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">