તાજમહેલની મુલાકાત માટે નવી વ્યવસ્થા લાગુ, આગરા જતા પહેલા જરૂર વાંચો આ ખબર
તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે. સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી […]
તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે.
સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી પર્યટકોની મુશ્કેલી ઓછી થઈ છે. ગૂરૂવારે સંજે પાંચ વાગ્યે તાજમહેલ પહોચેલા પ્રવાસીઓએ ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કર્યો તો ફક્ત 8 ટિકિટોનું બુકીંગ બાકી હતું. જ્યારે અન્ય ટિકિટો વેંચાઈ ગઈ હતી. પહેલા સાંજના સ્લોટમાં 2500 ટિકિટો હતી. જે બપોર બાદ જ વેંચાઈ જતી હતી અને ત્યારબાદ ટિકિટ મળતી નહોતી.
શિયાળા અને કોરોનાના કારણે સવારે ઘટ્યા પ્રવાસીઓ દરઅસલ એવું થતું હતું કે શિયાળાના અને કોરોનાના કારણે તાજમહેલ પર સવારના સ્લોટમાં એક હજારથી 1500 લોકો આવતા હતાં.. જેના કારણે આશરે 1 હજાર જેટલી ટિકિટો રોજ બેકાર જતી હતી. એએસઆઈના અધિકારીએ કહ્યું કે સંસ્કૃતી મંત્રાલય સ્તરથી જ ટિકિટો માટે બદલાવ નક્કી કરાયો છે. આ હજુ પ્રાયોગીક ધોરણે છે.
પર્યટન સંસ્થાઓએ કરી હતી માંગ પર્યટન સંગઠન આગરા ટુરિસ્ટ વેલ્ફેર ચેંબરે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતી મંત્રી પ્રહલાદસિંહ પટેલને સવારે 35 ટકા અને સાંજે 65 ટકા પર્યટકોના પ્રવેશની મંજૂરી દેવાની માંગ કરી હતી. જેના બાદ એએસઆઈએ આ બદલાવ શરૂ કર્યો. એએસઆઈની ઓનલાઈન ટિકિટ વેબસાઈટ પર ટિકિટોની સંખ્યા નિર્ધારીત કરી છે.
15 હજારના પ્રવેશની માંગ ઠુકરાવી પર્યટન સંગઠનો, ટુર ઓપરેટર્સ, જનપ્રતિનીધીઓએ તાજ પર ટિકિટોની સંખ્યા 5 હજરથી 15 હજાર કરવાની માંગ કરી હતી. જો કે, મંત્રાલયે સાફ કહી દીધું છે કે કેપીંગ 5 હજારથી વધારે નહી કરાય. પહેલા 30-70ના રેશીયોમાં ટિકિટ વિતરણ કરવાની કવાયતનું પરિણામ જોવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ડિસેમ્બર મહિનામાં આ વર્ષે તાજમહેલ પર ગયા વર્ષની સરખામણીએ માત્ર 20 ટકા પ્રવાસીઓ જ આવે છે. ગયાં વર્ષે આઆ દિવસોમાં 23 થી 25 હજાર પ્રવાસીઓ પ્રતિદિવસ આવતા હતાં, જે ક્રિસમસની રજાઓમાં વધીને 40 હજાર પર પહોંચતા હતાં.