રસીકરણ મુદ્દે દખલગીરી ના કરવા કેન્દ્રને સુપ્રિમકોર્ટની ટકોર

કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ પણ કર્યું છે કે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવાની મંજૂરી ફક્ત એટલા માટે આપવામાં આવી છે કે ઘણા રાજ્યો તેની માંગ કરી રહ્યા છે

રસીકરણ મુદ્દે દખલગીરી ના કરવા કેન્દ્રને સુપ્રિમકોર્ટની ટકોર
સુપ્રિમ કોર્ટ
Follow Us:
| Updated on: May 10, 2021 | 12:30 PM

સતત રસીકરણની નીતિથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે રવિવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે આ કેસમાં ન્યાયિક દખલની જરૂર નથી.

કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ પણ કર્યું છે કે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવાની મંજૂરી ફક્ત એટલા માટે આપવામાં આવી છે કે ઘણા રાજ્યો તેની માંગ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે વેક્સિન નિર્માતાઓ પાસેથી રાજ્યોમાં નક્કી કરેલ કિંમતે રસી પૂરી પાડવા કહ્યું છે.

એ જાહેર થઈ ચૂક્યુ છે કે, રસી ઉત્પાકદ કંપની, કેન્દ્ર અને રાજ્યોને અલગ અલગ ભાવે રસી આપી રહી છે. કેન્દ્ર સરકાર રસીના એક જ ડોઝ માટે 150 રૂપિયા ચૂકવે છે, ત્યારે તે જ રસી માટે રસી ઉત્પાદક રાજ્યો પાસેથી 300 અને 400 રૂપિયા લે છે. જો કે, કેન્દ્ર સરકારે આનો બચાવ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર રસી માટે ઓછી રકમની ચુકવણી કરી રહ્યું છે કારણ કે રસી ઉત્પાદક કંપનીએ રસીનો મોટો જથ્થો આપ્યો છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું, ‘એ નોંધવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે તેના વ્યાપક રસીકરણ અભિયાન માટે રસીના મોટા ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડર રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો કરતા ઘણા મોટા છે. તેથી, તેની અસર કિંમત પર પણ દર્શાવવામાં આવી હતી. સોગંદનામા મુજબ, જુદા જુદા ભાવો ખાનગી રસી ઉત્પાદકો માટે એક સ્પર્ધાત્મક બજાર બનાવશે, પરિણામે રસીનું ઉત્પાદન વધશે અને વધારે ભાવ પણ નહીં વધે. જ્યારે વિદેશી રસી ઉત્પાદકોને દેશમાં રસી બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કિંમતોમાં આ તફાવતની અસર લોકોને નહી થાય, કારણ કે તમામ રાજ્યોએ જાહેરાત કરી છે કે તેઓ કોરોનાની રસી નાગરિકોને નિ શુલ્ક આપશે.

આ પછી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, આવશ્યક દવાઓ અને કોરોનાને લગતી અન્ય સામગ્રીના સપ્લાય સંબંધિત સુઓમોટો કેસમાં સુપ્રિમ કોર્ટે કોઈ આદેશ આપવો જોઈએ નહીં. સરકારે કહ્યું છે કે આ રોગચાળાને લગતી તમામ નીતિઓ તબીબી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સલાહના અંતે ચર્ચા વિચારણા દ્વારા ઘડાતી હોય છે. તેથી આવા કિસ્સામાં ન્યાયિક દખલનો અવકાશ નહિવત્ છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">