પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું- સમિતિએ SSPને દોષી ગણાવ્યા

પીએમ મોદીના (PM Narendra Modi) પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલામાં રચાયેલી સમિતિએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કમિટીના રિપોર્ટ પર ચીફ જસ્ટિસ એનવી રમનાની બેંચે કહ્યું કે તેઓ રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છે. સરકાર આ અંગે પગલાં લઈ શકે છે.

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું- સમિતિએ SSPને દોષી ગણાવ્યા
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 1:23 PM

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે તે આગળની કાર્યવાહી માટે જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીની રિપોર્ટ કેન્દ્રને મોકલશે. કોર્ટે એમ પણ કહ્યું કે જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ ફિરોઝપુરના એસએસપીને જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ દોષી ઠેરવ્યા છે. પીએમ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલામાં રચાયેલી સમિતિએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કમિટીના રિપોર્ટ પર ચીફ જસ્ટિસ એનવી રમનાની બેંચે કહ્યું કે તેઓ રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છે. સરકાર આ અંગે પગલાં લઈ શકે છે.

ફિરોઝપુરમાં પ્રદર્શનકારીઓએ ફ્લાયઓવરને બ્લોક કરી દીધો હતો

આ વર્ષે 5 જાન્યુઆરી, 2022ના રોજ પીએમ નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન પીએમને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવોનો હતો. પરંતુ ફિરોઝપુરમાં પ્રદર્શનકારીઓએ ફ્લાયઓવરને બ્લોક કરી દીધો હતો, જેના કારણે પીએમ મોદીનો કાફલો અટવાઈ ગયો હતો. આ પછી પીએમ મોદીના કાફલાને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.

જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં સમિતિની નિમણૂક કરવામાં આવી

12 જાન્યુઆરી, 2022 ના રોજ, પીએમ મોદીની સુરક્ષામાં આવી ચૂકના મામલાની તપાસ કરવા માટે પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં CJI NV રમનાની બેંચ દ્વારા એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પીએમની મુલાકાત માટે પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ જપ્ત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વીવીઆઈપી પ્રવાસ માટે સુરક્ષા યોજના સ્પષ્ટ હોવી જોઈએ

ચીફ જસ્ટિસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે જરૂરી ઉપચારાત્મક પગલાં અને સલામતી છે. કમિટીએ એક ઇન્સ્પેક્શન કમિટી બનાવવાનું પણ સૂચન કર્યું છે. તેમજ બ્લુ બુક મુજબ પોલીસ અધિકારીઓને તાલીમ આપવી જોઈએ. વીવીઆઈપી પ્રવાસ માટે સુરક્ષા યોજના સ્પષ્ટ હોવી જોઈએ. બીજી બાજુ, ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની તત્કાલિન પંજાબ સરકારે તપાસ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ મહેતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ, ગૃહ બાબતો અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્માની બનેલી એક સમિતિની રચના કરી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">