બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની નોટિસ, પૂછ્યું- તમે બધી બીમારીઓ કેવી રીતે મટાડશો?

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ (CJI) કહ્યું કે બાબા રામદેવને શું થયું છે? યોગને લોકપ્રિય બનાવવા માટે અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમણે સારવારની અન્ય પદ્ધતિઓ પર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. તેઓએ બીજાની ટીકા કરવાનું ટાળવું જોઈએ.

બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની નોટિસ, પૂછ્યું- તમે બધી બીમારીઓ કેવી રીતે મટાડશો?
BABA Ramdev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:44 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પૂછ્યું છે કે બાબા રામદેવ (Baba Ramdev) અન્ય ચિકિત્સા પદ્ધતિનો દુરુપયોગ કેવી રીતે કરી શકે છે? કોર્ટ જાણવા માંગે છે કે તે કેવી રીતે ખાતરી આપી શકે કે તે તમામ રોગોનો ઈલાજ કરી શકે છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ બાબા રામદેવ દ્વારા એલોપેથી વિરુદ્ધ આપવામાં આવેલી જાહેરાત પર અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને નોટિસ પાઠવીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. એલોપેથિક દવાઓ અને રસીકરણ વિરુદ્ધ બાબા રામદેવની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે બાબા રામદેવને શું થયું છે? યોગને લોકપ્રિય બનાવવા માટે અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમણે સારવારની અન્ય પદ્ધતિઓ પર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. તેઓએ બીજાની ટીકા કરવાનું ટાળવું જોઈએ.

દિલ્હી હાઈકોર્ટે પણ રામદેવને ફટકાર લગાવી હતી

આ પહેલા બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે એલોપેથી વિરુદ્ધ નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. રામદેવે કહ્યું હતું કે રસી મળ્યા પછી પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને કોરોના વાયરસ થયો, આ મેડિકલ સાયન્સની નિષ્ફળતા છે. તેના પર કોર્ટે કહ્યું કે તમારું નિવેદન અન્ય દેશો સાથેના અમારા સંબંધોને અસર કરી શકે છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા

દેશના અલગ અલગ રાજ્યોમાં તેમના પર ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા. જેને લઈને હેવા બાબા રામદેવ સુપ્રીમની શરણમાં પહોંચ્યા છે. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. તેમની સામે કોરોના સારવારમાં આપવામાં આવતી એલોપેથી દવાઓને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય મેડિકલ એસોસિએશનના છત્તીસગઢ એકમે એફઆઈઆર નોંધાવી હતો.

અગાઉ બાબા રામદેવ વિરુદ્ધ પટણામાં આઈએમએ દ્વારા એલોપથી વિરુદ્ધ બોલવા અને ડોકટરોની મશ્કરી કરવાને લગતા વિડીયો વાયરલ કરવા બદલ કેસ નોંધાવ્યો હતો. પાટનગરના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં પણ બાબા રામદેવ પર ગુનો દાખલ કરાયો હતો. આઇએમએના ડો. સુનિલ કુમારે આરોપ લગાવ્યો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, બાબા રામદેવે આધુનિક તબીબી વિજ્ઞાન અને પદ્ધતિ વિશે સામાન્ય લોકોના મનમાં મૂંઝવણ પેદા કરી હતી. તેમની તરફનો અવિશ્વાસ વધાર્યો, જે ડોકટરોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">