એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની કમર્શિયલ હેડ અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ધરપકડ પર રોક લગાવાઈ
કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મનો દુરઉપયોગ રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેની હેઠળ તેમને આપતિજનક સામગ્રીને તરત જ હટાવવા, તપાસમાં સહયોગ આપવા કહેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મનો દુરઉપયોગ રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેની હેઠળ તેમને આપતિજનક સામગ્રીને તરત જ હટાવવા, તપાસમાં સહયોગ આપવા કહેવામાં આવ્યું છે. તેની વચ્ચે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની કમર્શિયલ હેડ અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે અપર્ણાની ધરપકડ પર રોક લગાવી છે. તેમને તપાસમાં સહયોગ કરવો પડશે. અપર્ણાની આગોતરા જામીન અરજી પર કોર્ટે નોટિસ જાહેર કરી છે. વેબસિરીઝ તાંડવને લઈ લખનઉમાં દાખલ FIR પર ધરપકડ પર રોકની માંગને લઈ અર્પણાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
OTT પ્લેટફોર્મની સામગ્રી પર નિયંત્રણ માટે બનેલા નિયમો પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું તેમાં દંડ લગાવવા અને કેસ ચલાવવા જેવી જોગવાઈ નથી. યોગ્ય કાયદો પાસ કર્યા વગર નિયંત્રણ ના થઈ શકે. સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 2 અઠવાડિયામાં અમે ડ્રાફ્ટ કાયદો કોર્ટમાં રજૂ કરીશું.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી વખત કોઈ પણ પ્રકારની અશ્લીલ સામગ્રી દેખાડવામાં આવી છે અને આ પ્રકારના કાર્યક્રમો પર નજર રાખવા માટે એક તંત્રની આવશ્યકતા છે. જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે સોશિયલ મીડિયા રેગ્યુલેશન અંગેના તાજેતરની સરકારની માર્ગદર્શિકા વિશે માહિતી આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય