Supreme Court: દેવાળીયા કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત હવે નહીં ચાલે ચેક બાઉન્સનો કેસ
ચેક બાઉન્સ કેસમાં Supreme Courtએ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી કે જે કંપનીઓ દિવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમના વિરુદ્ધ ન તો ચેક બાઉન્સનો મામલો શરુ કરી શકાય કે ન તો એને ચાલુ રાખી શકાય.
ચેક બાઉન્સ કેસમાં Supreme Courtએ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી કે જે કંપનીઓ દિવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમના વિરુદ્ધ ન તો ચેક બાઉન્સનો મામલો શરુ કરી શકાય કે ન તો એને ચાલુ રાખી શકાય. કોર્ટે કહ્યુ કે આવી કંપનીઓને ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના પ્રાવધાન હેઠળ સંરક્ષણ મળેલું છે. આ સાથે જ કોર્ટે આ કંપનીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે ન્યાયિક પ્રક્રિયા પર રોકનો લાભ ડાયરેકટર્સ અથવા તો ચેક પર હસ્તાક્ષર કરવાવાળાઓને નથી આપ્યો. કોર્ટે કહ્યું કે આવા કેસમાં તેમના વિરુદ્ધ અપરાધિક કેસ ચાલુ રહેશે.
IBC હેઠળ મળી રાહત
ન્યાયાધીશ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સામે કાયદાકીય મુદ્દા આવ્યા કે શું નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની ધારા 138/141 અંતર્ગત પ્રક્રિયા ચાલુ રાખવા IBCની કલમ 14 અંતર્ગત સંરક્ષણ મળી જાય છે. સાથે જ ન્યાયિક પ્રક્રિયા પણ થંભી જાય છે. ખંડપીઠમાં ન્યાયમૂર્તિ નવીન સિન્હા અને ન્યાયમૂર્તિ એમ જોસેફ પણ સામેલ હતા. ખંડપીઠે મુંબઈ અને કોલકાતા હાઈકોર્ટના નિર્ણય પર અસહમતિ દર્શાવી, જેમાં વ્યવસ્થા આપવામાં આવી હતી કે IBC હેઠળ દેવાળીયા કંપનીઓ વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ ચાલુ રાખી શકાય છે.
આ પણ વાંચો: બેંક ખાતામાં Email ID અપડેટ કરવું છે એકદમ સરળ, જાણો આ ત્રણ રીત