Delta Plus : ભારતીય વૈજ્ઞાનિકોએ મેળવી કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસના કલ્ચર મેળવવામાં સફળતા, શરૂ કરાયો અભ્યાસ

નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) ની ટીમ છેલ્લા ઘણા દિવસોથી ડેલ્ટા પ્લસના કલ્ચરને મેળવવા માટે પ્રયત્નશીલ હતી. જેમાં હવે તેમને સફળતા મળી છે.

Delta Plus : ભારતીય વૈજ્ઞાનિકોએ મેળવી કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસના કલ્ચર મેળવવામાં સફળતા, શરૂ કરાયો અભ્યાસ
ભારતીય વૈજ્ઞાનિકો મેળવી કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસના કલ્ચર મેળવવામાં સફળતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:40 PM

Corona  વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ઓળખ થયા બાદ ભારતીય વૈજ્ઞાનિકોને બીજી એક સફળતા મળી છે. જેમાં વૈજ્ઞાનિકો ડેલ્ટા પ્લસ( Delta Plus)  વેરિયન્ટનું કલ્ચર મેળવવામાં સફળ રહ્યા છે. જેના આધારે વાયરસના મ્યુટેશનની અસર માનવ પર શોધવાનું શરૂ કર્યું છે. Corona ના ડબલ મ્યુટેશનમાંથી નીકળેલા ડેલ્ટા અને તેની બાદ બહાર આવેલા ડેલ્ટા પ્લસ વિશે ખૂબ જ મર્યાદિત માહિતી છે. આ વેરિયન્ટ કેવી રીતે કાર્ય કરે છે અને તેની માનવ શરીર પર શું અસર છે? તેના વિશે હજી સુધી પૂરતા વૈજ્ઞાનિક તથ્યો નથી.

ડેલ્ટા પ્લસના કલ્ચરને મેળવવા માટે પ્રયત્નશીલ હતી

આ વિશે માહિતી મેળવવા માટે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) ની ટીમ છેલ્લા ઘણા દિવસોથી ડેલ્ટા પ્લસ( Delta Plus)ના કલ્ચરને મેળવવા માટે પ્રયત્નશીલ હતી. જેમાં હવે તેમને સફળતા મળી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગંભીરતા અનુસાર એક્શન લેવામાં આવશે.

નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પૉલ કહે છે કે કલ્ચર પછી હવે  અસર શોધવા માટે અભ્યાસ શરૂ થયો છે. આશા છે કે આવતા થોડા અઠવાડિયા પછી આપણે વૈજ્ઞાનિક તથ્યો સાથે જાણી શકીશું કે  આ Corona  વેરિયન્ટ કેટલો ઘાતક છે.તેમજ આ વેરિયન્ટ લોકોને ચેપ લગાડ્યા પછી તે કેટલી ગંભીર પરિસ્થિતિમાં લાવે છે? રસી લીધેલા વ્યકિતને ફરીથી ચેપ લગાવવા માટે તે કેટલો સક્ષમ છે. આ બધા પ્રશ્નોના જવાબો મળશે. જેની બાદ તેની સામે લડવાની વ્યૂહરચના તેની ગંભીરતા અનુસાર એક્શન લેવામાં આવશે.

હેમ્સ્ટર પર કરવામાં આવી રહ્યું છે પરીક્ષણ

એનઆઈવીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે, હાલમાં નવ- નવ સીરિયાઈ હેમ્સ્ટરને (ઉંદરની એક પ્રજાતિ) ના સમૂહને ડેલ્ટા પ્લસથી ચેપ લગાવ્યો છે. આમાં એક જૂથમાં કોરોના વિરુદ્ધ એન્ટિબોડી પહેલેથી હાજર છે.

આ જૂથને ડેલ્ટા પ્લસથી ચેપ લગાવવામાં આવ્યો છે જેના આધારે શોધી શકાશે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એન્ટિબોડીનું સ્તર કેટલું ઘટાડે છે ડેલ્ટા વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાય છે અને એન્ટિબોડી ઘટાડે છે. આ સ્થિતિમાં રસીકરણ પછી ફરીથી ચેપ લાગવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.કદાચ તેથી જ ડેલ્ટા પ્લસને પણ એક ગંભીર પ્રકાર માનવામાં આવી રહી છે પરંતુ હવે હકીકતોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">